દિલ્હીથી મુંબઈ નેશનલ કોરિડોર હાઈવે માટે જમીનના બદલામાં કાયમી નોકરીની માંગ
જમીનના બદલે કાયમી નોકરી માટે ૧૪ ગામના અસરગ્રસ્ત ખેડૂતોની માંગણી
ઝાલોદ, દિલ્હીથી મુંબઈ નેશનલ કોરિડોર હાઈવે ઝાલોદ તાલુકાના ૧૪ અસરગ્રસ્ત ગામોના આદિવાસી ખેડૂત ખાતેદારો દ્વારા છેલ્લા ચાર વર્ષથી આ હાઈવેમાં જમીન સંપાદન બાબતે વિરોધ કરવામાં આવી રહ્યો છે.
ખેડૂતોએ જણાવ્યું હતું કે, ચાર વર્ષથી ગરીબ ખેડૂતો પોતાના બાળકોના ભવિષ્યની ચિંતા કરી હાઈકોર્ટમાં કેસ લડી રહ્યા છે.
હાઈકોર્ટમાં હાલ અમારો કેસ ચાલુ છે ત્યાં સુધી કોઈ અમારી જમીનમાં પ્રવેશ ન કરે અને દબાણ કરી જમીન પડાવી લેવી હોય તો જમીનના બદલે જમીન અને બજાર (માર્કેટ)ના ભાવે ચાર ગણુ વળતર અને અસરગ્રસ્ત પરિવારના એક સભ્યને કાયમી નોકરી આપવામાં આવે છે.