Western Times News

Gujarati News

દેશમાં કોરોનાથી વધુ ૩૨૦૭ દર્દીઓએ જીવ ગુમાવ્યા

નવી દિલ્હી, ભારતમાં સતત ૨૦ દિવસમાં કોરોનાથી સંક્રમિત થનારા લોકોની તુલનામાં કોરોનાને મ્હાત આપનારા દર્દીઓની સંખ્યા વધારે નોંધાઈ છે. દર્દીઓના રિકવરી રેટમાં પણ સુધારો થતાં તે ૯૨.૪૮ ટકાએ પહોંચી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસોમાં ૧ લાખથી વધુનો ઘટાડો નોંધાયો છે. દેશમાં હાલ પોઝિટિવિટી રેટ ૬.૫૭ ટકા છે

જે સતત ૯ દિવસથી ૧૦ ટકાથી નીચે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧,૩૨,૭૮૮ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૩,૨૦૭ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૨,૮૩,૦૭,૮૩૨ થઈ ગઈ છે.

બીજી તરફ, દેશમાં કુલ ૨૧,૮૫,૪૬,૬૬૭ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. બીજી તરફ, કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૨ કરોડ ૬૧ લાખ ૭૯ હજાર ૮૫ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૨,૩૧,૪૫૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૧૭,૯૩,૬૪૫ એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૩,૩૫,૧૦૨ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧ જૂન સુધીમાં ભારતમાં કુલ ૩૫,૦૦,૫૭,૩૩૦ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે મંગળવારના ૨૪ કલાકમાં ૨૦,૧૯,૭૭૩ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.