ધર્મ પરિવર્તનને મંજૂરી ન આપવી જોઈએઃ કર્ણાટકના મુખ્યમંત્રી

બેલાગાવી, ધર્માંતરણને શાંત હુમલો ગણાવતા, કર્ણાટકના મુખ્યપ્રધાન બસવરાજ બોમાઈએ કહ્યું કે સમાજમાં આ દુષ્ટતાને વધવા દેવી જાેઈએ નહીં. કર્ણાટકના બેલાગવી જિલ્લામાં વિશ્વ હિંદુ પરિષ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલતા, બોમાઈએ કહ્યું, “હિંદુઓ પર વારંવાર હુમલા કરવામાં આવ્યા હતા, જેના કારણે સમયે સમયે મોટા પાયે ધર્માંતરણ થયું હતું.”
જાે તમે તમારી આસપાસ અન્ય ધર્મના લોકોને જાેશો, તો તમને તેઓ મૂળ હિન્દુ જ દેખાશે. દેશમાં ભૌગોલિક આક્રમણ ઉપરાંત ધાર્મિક આક્રમણ થઈ રહ્યું છે, જાે ભૌગોલિક આક્રમણ ખુલ્લું હોય તો ધાર્મિક હુમલા ધીમે ધીમે થાય છે.
સૂત્રો અનુસાર, કેટલાક મિશનરી સંગઠનો ધર્માંતરણ વિરોધી બિલનોવિરોધ કરી રહ્યા છે અને તેને બંધારણની વિરુદ્ધ ગણાવી રહ્યા હોવાથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાનએ કહ્યું કે ધર્માંતરણ સમાજ માટે ખતરો હોવાથી બિલ રજૂ કરવામાં આવશે.
મુખ્યપ્રધાનએ વિવિધ મઠોના મહંતોને ધર્માંતરણની પાયાની સમસ્યાના ઉકેલ માટે ધર્માંતરણ સામે સામાજિક આંદોલન શરૂ કરવા અપીલ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે ૨૦૧૬માં તત્કાલિન કોંગ્રેસ સરકારે ધર્માંતરણ વિરુદ્ધ કાયદો ઘડવાનું વિચાર્યું હતું, પરંતુ નિહિત રાજકીય હિતોને કારણે તેમ કર્યું ન હતું.ઉલ્લેખનીય છે કે કર્ણાટક કેબિનેટે સોમવારે વિવાદાસ્પદ ધર્માંતરણ વિરોધી બિલને મંજૂરી આપી દીધી છે અને તે વિધાનસભામાં રજૂ કરવામાં આવે તેવી શક્યતાઓ પણ જણાય રહી છે.HS