નડિયાદની એન . ડી . દેસાઇ મેડિકલ કોલેજ થી બે દર્દીઓને રજા અપાઇ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/04/Umreth.jpg)
નડિયાદના રમણભાઇ તથા ઉમરેઠના મુસ્તાન વહોરા કોરોનાને માત આપી ઘરે રવાના બંને દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવતા હોસ્પિટલમાંથી રજા અપાઇ જીંદગી યમ દ્વારે ટકોરા મારી પરત ફરી
(સાજીદ સૈયદ, નડિયાદ) – બુધવાર – સમગ્ર વિશ્ર્વ કોરોનાની મહામારીના કારણે હેરાન છે . ભારતમાં અને રાજયમાં પણ તેનો વ્યાપ વધે નહિ તે માટે સરકાર દ્વારા સતત પ્રયાસો અને વિવિધ પગલાઓ લેવામાં આવી રહયા છે . ખેડા જિલ્લામાં પણ નડિયાદ ખાતે નહેરૂનગર વિસ્તારમાં રહેતા ૫૮ વર્ષીય રમણભાઇ તથા ઉમરેઠના મસ્તાન હોરાને કોરોનાના કારણે નડિયાદ એન . ડી . દેસાઇ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા .
અહિયા તેમની સારવાર સફળ થતા અને તેઓના રીપોર્ટ નેગેટીવ આવેલ હોઈ જિલ્લા આરોગ્ય વિભાગ , હોસ્પિટલના તબીબો તથા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તેઓને હોસ્પિટલમાંથી ઘરે જવાની રજા આપવાનો નિર્ણય લેવામાં આવેલ હતો . શ્રી રમણભાઇ વાધેલાને તા . ૧૬ / ૪ ૨૦૨૦ તથા શ્રી મુસ્તાન વ્હોરાને તા . ૧૭ / ૪ / ૨૦૨૦ના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને નિયત સમય મર્યાદા બાદ તેઓના ટેસ્ટ લેવામાં આવ્યા હતા .
આ ટેસ્ટ નેગેટીવ આવવાથી તેઓને રજા આપવામાં આવી છે . નડિયાદના ૫૮ વર્ષીય શ્રી રમણભાઇ વાઘેલા અને ઉમરેઠના ૪૫ વર્ષીય મુસ્તાન વ્હોરાએ જણાવ્યું હતું કે , અમોને કોરોના વાયરસનો ચેપ લાગવાથી અહિયા દાખલ કરવામાં આવ્યા હતા . શરૂઆતમાં અમોને બહુ બીક લાગતી તથા તકલીફ પડતી હતી , પરંતુ હોમ્પિટલના તબીબો અને સ્ટાફનો સહયોગ મેળવાથી મોન સીક હિંમત આવી ગઇ હતી .
તબીબોએ બતાવ્યા પ્રમાણેની ખાવા – પીવાની ચરી તેમજ નિયત દવાઓ ના આધારે અમારા સ્વાથ્યમાં દિવસે દિવસે સુધારો થતો ગયો અને આખરે અમોએ કોરોનાનો જંગ જીત્યો . જીંદગી યમ દ્વારે ટકોરા મારી પરત ફરી હોય તેમ લાગ્યું . અમો અમારા સ્નેહિજનો અને કુટુંબીજનોને અમારા અનુભવ પરથી એક જ વાત કહેવા માંગીએ છીએ કે , આ રોગમાંથી બચવા સોશ્યલ ડિસ્ટન્સનો અમલ કરો , સાબુ કે સેનેટાઇઝરથી જ હાથ ધોવાનું રાખો અને થોડિક પણ શારિરીક તકલીફ થાય તો તરત જ નિષ્ણાંત ડોકટરની દવા લઇને જ તેની સારવાર કરાવો તો કોરોનાનો જંગ જીતી શકાશે .
આ પ્રસંગે મેડિકલ કોલેજના ડીનશ્રી , ડીઆરડીએના ડાયરેકટરશ્રી ઝાલા , તબીબો તથા સહાયક સ્ટાફએ તેઓને ગલાબ આપી તાળીઓથી વધાવી શારીરિક તંદુરસ્તીની શુભેચ્છા આપી હતી . તેઓને એબ્યુલન્સ દ્વારા તેઓના નિવાસ સ્થાને પહોંચાડવાની વ્યવસ્થા પણ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવી હતી .