નડિયાદમાં કોંગ્રેસ દ્વારા જન જાગૃતિ અભિયાનનો પ્રારંભ
મોંઘવારી બેરોજગારીના મુદ્દાને લઇ ભાજપ પર નિશાન તાકવામાં આવ્યું
(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિલ્લા કોંગ્રેસ દ્વારા શહેરના ઇકો વાળા હોલ માં જનજાગરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પસંગ્ર એ યોજાયેલા સમારંભમાં ગુજરાત કોંગ્રેસ ના પ્રભારી તરીકે નિમાયેલા રાજસ્થાનના ડોક્ટર રધુ શર્માજી ખાસ હાજર રહ્યા હતા આખો હોલ છલોછલ ભરાઈ ગયો હતો
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નેજા હેઠળ ખેડા જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે નડિયાદમાં યોજાયેલા જનજાગરણ સમારંભ માં પ્રદેશ પ્રમુખ અમીતભાઈ ચાવડા વિધાનસભા ના વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી તથા ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુજી શર્મા ની ખાસ ઉપસ્થિતિ જાેવા મળી હતી પેટ્રોલ, ડીઝલ, ગેસ, ખાદ્યતેલ જેવી ચીજવસ્તુના ભાવમાં અસહ્ય વધારાના વિરોધમાં અને જનતાને જાગૃત કરવાના હેતુસર આ સમારંભ યોજાયો હતો
સમારંભ ની શરૂઆત પહેલા પત્રકારો સાથેની વાતચીતમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે નિમાયેલા ડો.રધુ સર્માજી એ જણાવ્યું હતું કે પેટ્રોલ, ડીઝલ, ગેસ, ખાદ્યતેલ જેવી ચીજવસ્તુના ભાવમાં અસહ્ય વધારો જાેવા મળે છે બે રોજગારી નું પ્રમાણ પણ વધી ગયું છે
જનતા ને પાયા ની સુવિધા મળતી નથી ખેડૂતો ની હાલત કફોડી બની છે આ બધી બાબતો થી જનતા ને જાગૃત કરવા અને કોગેશ ની સભ્ય નોધણી જુબેસ ને વેગીલી બનાવવા આવા કાયકમો વિવિધ જિલ્લા માં અમે કરીએ છીએ. આજે આ સાતમો કાયર્કર્મ છે
તેમણે વધુ માં જણાવ્યું હતું કે હવે જનતા જાગૃત થઈ ગઈ છે અને વધુમાં વધુ યુવાનો જાેડાઈ રહ્યા છે આવનાર ૨૦૨૨ ની ચટણી માં કોગ્રેસ ની સરકાર બનશે એ યુવાનો ના જુસ્સા પરથી લાગે છે