Western Times News

Gujarati News

નવા પેટ્રોલિયમ પ્રધાને અંબાજીમાં દીકરાના નામે ૨.૪૦ લાખના કિંમતનું સોનાનું દાન કર્યું

અંબાજી, ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી ટીમ તૈયાર થઈ ગઈ છે. ત્યારે આજે એક બાદ એક તમામ પ્રધાનો વિધિવિત રીતે પોતાનો ચાર્જ સંભાળી રહ્યાં છે. ત્યારે કોઇને કોઇ પ્રધાન પોતાનું નવું પ્રધાનપદ સંભાળતા પહેલાં કોઇ મંત્રી કાં તો પહેલાં ભગવાનના દર્શન કરવા જાય છે તો કોઇ મંત્રી પોતાના પદ પર રહેલાં પૂર્વપ્રધાન સાથે મુલાકાત કરવા જાય છે.

એવામાં નવા કૃષિ, ઊર્જા અને પેટ્રોલિયમ પ્રધાન બનેલા મુકેશ પટેલે યાત્રાધામ અંબાજી મંદિરે દર્શન માટે પહોંચ્યાં હતાં. પ્રધાન મૂકેશ પટેલે મંદિરમાં પોતાના દીકરાના નામે ૨.૪૦ લાખના કિંમતનું ૫૦ ગ્રામ સોનાનું દાન કર્યું હતું. પ્રધાન પોતાના ધર્મપત્ની સાથે મંદિર આવ્યાં હતાં. બાદમાં મંદિરમાં પૂજા કરાવી ભટ્ટજી મહારાજ પાસેથી આશીર્વાદ લીધાં હતાં.

મોરબીથી જીતેલા બ્રિજેશ મેરજાએ પણ ચાર્જ સંભાળ્યો છે. શ્રમ રોજગાર, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગૃહ વિકાસનુ ખાતુ સંભાળ્યુ છે. શાસ્ત્રોક્ત વિધી સાથે તેમણે ચાર્જ સંભાળ્યો હતો. તેમણે ચાર્જ સંભાળ્યો ત્યારે તેમનો પરિવાર અને શુભેચ્છકો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.