નહેરૂનગરથી આંબાવાડી જતાં ભુવાને કારણે ટ્રાફિક જામ થયો
અમદાવાદ, અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ રોડના ધોવાણ અને ભુવા પડવા તે સામાન્ય બાબત બની ગયા છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી એવો કોઈ ખાસ વરસાદ નથી છતાં પણ નહેરુનગરથી આંબાવાડી ત્રણ રસ્તા સી. એન. સ્કુલ તરફ જવાના રસ્તા પર બે દિવસ પહેલાં એક ભુવો પડ્યો હતો.
ભુવાનું રીપેરીંગ કામ કરવા માટે તંત્ર દ્વારા મોટો ખાડો કરીને માટીનો ઢગલો કરી દેવાતાં ત્રણ રસ્તા પાસે ટ્રાફિક જામની પરિસ્થ્તિ ઉભી થઈ હતી. ખાસ કરીને એ. એમ. ટી. એસ.ની બસને જવા જેટલો પણ રસ્તો ખુલ્લો ન રહેતાં ટ્રાફિક જામ થયો હતો.
શહેરમાં સરેરાશ એક ઈંચ વરસાદે ત્રણ ભુવા પડે છે : ૧પ ઈંચ વરસાદમાં ૪૭ ભુવા પડ્યા
અમદાવાદ શહેરમાં દર એક ઈંચ વરસાદમાં ત્રણ ભુવા પડે છે તે બાબત ર૦ર૧ના વર્ષમાં પણ સાચી સાબિત થઈ છે. મ્યુનિ. ઈજનેર વિભાગે એક માત્ર ભુવા મામલે તેમનું સાતત્ય જાળવી રાખ્યુ છે.
શહેરમાં ચાલુ વરસે ર૦ જુલાઈ સુધી ૧પ ઈંચ વરસાદ થયો છે. જેની સામે ૪૭ ભુવા પડ્યા છે. શહેરમાં છેલ્લા આઠ વર્ષમાં ૬૦૦ કરતા વધારે ભુવા પડ્યા છે.
ર૦૧૩માં ૯ર, ર૦૧૪માં ૪૯, ર૦૧પમાં પ૮, ર૦૧૬માં પ૭, ર૦૧૭માં ૧૧૧, ર૦૧૮માં ર૬, ર૦૧૯માં ૬૬ અને ર૦ર૦માં પ૪ ભુવા પડયા હતા. આમ ર૦૧૭ની સાલમાં સૌથી વધુ ભુવા પડયા હતા. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ભુવા દીઠ સરેરાશ રૂા.પાંચ લાખનો ખર્ચ થાય છે. નોંધનીય બાબત એ છે કે પ્રતિ કિ.મી. રૂા.આઠ કરોડના ખર્ચથી તૈયાર કરવામાં આવેલા જનમાર્ગમાં પણ વિશાળ ભુવા પડી રહયા છે. આ બાબત જ રોડના કાર્યોમાં થતા ભ્રષ્ટાચારને સાબિત કરી રહી છે.
પરતુ ગુણવત્તા જળવાતી ન હોવાથી ચાલુ વર્ષે તેમાં પણ ભુવા પડી રહ્યા છે. સ્માર્ટસીટી અમદાવાદમાં નવા રોડ તૂટવાની અને “ભુવા” પડવાની શરૂઆત થઈ ગઈ છે. શહેરમાં સરેરાશ અડધા ઈચ વરસાદમાં એક ભુવો પડે છે.
મ્યુનિ અધિકારીઓ, ચૂંટાયેલી પાંખ અને કોન્ટ્રાકટરોના મેળાપીપણાથી હલકી ગુણવત્તાવાળા રોડ તૈયાર થાય છે. જેના કારણે શહેરની સડકો પર ભુવાને “ભાગીદારીના ભુવા” પણ કહેવામાં આવે છે. શહેરમાં છેલ્લા આઠ વર્ષે દરમ્યાન ૪૫૦ કરતા વધુ ભુવા પડયા છે.