નારોલમાં ઘરફોડ ચોરી : તસ્કરો રૂપિયા ૧.૮૧ લાખની મત્તા ચોરી ગયા
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરમાં ઘરફોડ ચોરીનું પ્રમાણ ખૂબ જ વધ્યુ છે. આ પરિસ્થિતિમાં નારોલ વિસ્તારમાં રહેતા અને પોલીસના નેત્રમ કમાન્ડમાં જુનીયર એન્જીનીયર તરીકે ફરજ બજાવતાં જવાનના જ ઘરમાં ચોરીનો બનાવ બનતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તસ્કરો તેમના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના સહીત રૂપિયા ૧.૮૦ લાખની મત્તા ચોરી ગયા છે.
આ ઘટનાની વિગત એવી છે કે બિપીનસિંહ રાજપુત (ર૮) મૂળ ઉત્તરપ્રદેશના છે અને હાલમાં આણંદ પોલીસ અધિક્ષકની કચેરીમાં આવેલા નેત્રમ કમાન્ડ કંટ્રોલ રૂમમાં જુનીયર એન્જીનીયર તરીકે ફરજ બજાવે છે.
ગઈ તા.ર૮ ઓગસ્ટે રાતના સુમોર સુતા હતા ત્યારે મધરાતે કેટલાક તસ્કરો તેમના ઘરમાં ઘુસ્યા હતા અને રૂમમાં મુકેલી તિજાેરીમાંથી સોના- ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા ત્રણ હજાર ઉપરાંત એક ફોન ચોરી ગયા હતા. આ ઘટના અંગે બીજા દિવ્સે સવારે જાણ થઈ હતી અને નારોલ પોલીસ સ્ટેશનમાં આ ચોરી અંગેની ફરીયાદ નોંધાવતા પોલીસે મકાનની આસપાસના સીસીટીવી કેમેરાના કુટેજ મેળવીને ચોરીની તપાસ હાથ ધરી છે.