ના પાડી છે છતાં સાંજે બે પેગ લઉં છું : રાકેશ રોશન
મુંબઈ: બોલિવૂડ એક્ટર રિતિક રોશનના પિતા અને ફિલ્મમેકર રાકેશ રોશને કેન્સરને હરાવ્યું છે. વર્ષ ૨૦૧૮માં તેઓને આ રોગના લક્ષણ જાેવા મળ્યા હતા અને તપાસ પહેલા જ તેઓને એવો અંદાજાે હતો કે મને કેન્સર છે. તેમણે હિંમત સાથે આ બીમારીનો મુકાબલો કર્યો અને કેન્સરને હરાવવામાં સફળતા મેળવી. કેન્સર બાદ તેમની લાઈફસ્ટાઈલ ખૂબ બદલાઈ ગઈ છે.
રાકેશ રોશને સિગારેટ છોડી દીધી છે પણ ખુલાસો કર્યો છે કે તેઓ હજુ પણ ડ્રિંક કરે છે. એક ઈન્ટરવ્યુમાં રાકેશ રોશને કહ્યું કે હું ટેસ્ટ કરાવવા ગયો તે પહેલા જ ખબર હતી કે કેન્સર છે. આ બધું વર્ષ ૨૦૧૮માં શરૂ થયું કે જ્યારે રાકેશ રોશનની જીભ નીચે ઘા દેખાવાનો શરૂ થયો, દવાઓ પછી પણ તેમાં કોઈ ફેરફાર દેખાયો નહીં.
રાકેશ રોશને કહ્યું કે ખબર નહીં મને કેમ એવું લાગી રહ્યું હતું કે આ પ્રકારનો ઘા કેન્સરનો હોઈ શકે છે. મેં ડોક્ટરની સાથે પણ વાત શેર કરી. રાકેશ રોશને જણાવ્યું કે હું માનસિકરીતે દુઃખી થયો નહીં અને પોતાની જાતને કહ્યું કે મને કેન્સર છે, મારે મારો હેલ્થ પ્રોબ્લેમ સુધારવાનો છે.
ટોચના ઓન્કોલોજિસ્ટ ડૉક્ટર જતિન શાહે ભારત આવીને મારી સર્જરી કરી. કીમો અને રેડિયેશન સિટિંગ્સ બાદ હવે તેમની કેન્સરની દવાઓ પણ બંધ થઈ ગઈ છે. હવે રાકેશ રોશન ખૂબ કસરત કરે છે અને તેમની લાઈફસ્ટાઈલ પણ હેલ્ધી છે. પણ, તેઓ ડ્રિંક કરવાની આદત છોડી રહ્યા નથી. રાકેશ રોશને જણાવ્યું કે સિગારેટ છોડી દીધી છે પણ દરરોજ સાંજે બે પેગ લઉં છું.