નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓ ૨૦૨૫ સુધીમાં મૂળભૂત નાણાકીય સેવા ઉકેલો: આરબીઆઇ
મુંબઇ, ભારતીય રિઝર્વ બેંકે અમુક શ્રેણી હેઠળની નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓને ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીમાં મૂળભૂત નાણાકીય સેવા ઉકેલો પ્રદાન કરવા જણાવ્યું છે. આ બેંકો માટે કોર બેંકિંગ સોલ્યુશન સિસ્ટમ જેવું જ છે. આ વ્યવસ્થા એનબીએફસીના કામકાજના એકીકરણ તરફ દોરી જશે અને ગ્રાહકોને ગમે ત્યારે ગમે ત્યાં સારી સેવા મેળવવામાં મદદ કરશે.
આરબીઆઈએ એક પરિપત્રમાં જણાવ્યું હતું કે ૧૦ અને વધુ સેવા કેન્દ્રો ધરાવતી NBFCs એ ‘મિડલ લેયર’ અને ‘ઉપલા સ્તર’ હેઠળ આવતી NBFC ને ફરજિયાતપણે મૂળભૂત નાણાકીય સેવાઓ સોલ્યુશન્સ (CFSS)પ્રદાન કરવા પડશે.
આરબીઆઈએ કહ્યું કે CFSS હેઠળ ગ્રાહકોને સગવડતા સાથે ગમે ત્યાં અને કોઈપણ સમયે ઉત્પાદનો અને સેવાઓ સંબંધિત ડિજિટલ ઓફરિંગ અને વ્યવહારોની સુવિધા આપવામાં આવશે. આ વ્યવસ્થા એનબીએફસીના કાર્યોને એકીકૃત કરશે. આ સાથે તે કેન્દ્રીયકૃત ડેટા અને એકાઉન્ટિંગ રેકોર્ડ પ્રદાન કરશે.
આ માટેની અંતિમ તારીખ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ નક્કી કરવામાં આવી છે. જાે કે, ‘ઉપલા સ્તર’ NBFC એ સુનિશ્ચિત કરશે કે ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધીમાં ઓછામાં ઓછા ૭૦ ટકા સેવા કેન્દ્રોમાં CFSS લાગુ કરવામાં આવે. સેન્ટ્રલ બેંકના જણાવ્યા મુજબ, NBFC-બેઝ લેયર અને દ્ગમ્હ્લઝ્રજ- ‘મધ્યમ’ અને ‘ઉપલા સ્તર’ માટે ૧૦ થી ઓછા સેવા કેન્દ્રો સાથે CFSS લાગુ કરવું ફરજિયાત નથી. જાે કે, તેઓ તેને તેમના ફાયદા માટે લાગુ કરી શકે છે.HS