પંજાબના ખેડૂતોના દિલમાં પીએમ મોદી સામે ગુસ્સો હતો: શરદ પવાર
મુંબઇ, ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને તેમાં ભાજપને પ્રચંડ બહુમતી મળી છે. હવે આ પરિણામોને લઈને એનસીપી પ્રમુખ શરદ પવારની પ્રતિક્રિયા સામે આવી છે. શરદ પવારે કહ્યું કે, અખિલેશ યાદવે પરિણામોના આંકડાઓ પર વધુ ધ્યાન ન આપવું જાેઈએ.
તેમણે કહ્યું કે, આમાં સપા પ્રમુખ અખિલેશ યાદવનો દોષ નથી, તેમણે પોતાના દમ પર ચૂંટણી લડી હતી. તેમણે ચૂંટણીના પરિણામો વિશે વિચારવું જાેઈએ નહીં કારણ કે આ દેશમાં તેમનું કદ ઊંચું છે. તેમણે પહેલા કરતા વધુ સારી લડાઈ લડી છે.”
શરદ પવારે પંજાબમાં આમ આદમી પાર્ટીની જીતની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું, “પંજાબની જનતાએ ભાજપ અને કોંગ્રેસને હરાવ્યા અને આમ આદમી પાર્ટીને જનાદેશ આપ્યો. પંજાબના ખેડૂતોના દિલમાં પીએમ મોદી સામે ગુસ્સો હતો, મહારાષ્ટ્રમાં ભાજપને અઢી વર્ષ રાહ જાેવી પડશે.HS