પંજાબની શાળાઓમાં 24 થી 31 ડિસેમ્બર સુધી શિયાળાની રજા

ચંદીગઢ, પંજાબમાં પડી રહેલી ઠંડીને જોતા પંજાબ સ્કુલ શિક્ષણ વિભાગે સ્કુલોમાં ઠંડીની રજા જાહેર કરી દીધી છે. તમામ સ્કુલ 24 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી બંધ રહેશે. આ સંબંધી શિક્ષણ વિભાગ તરફથી આદેશ જારી કરી દેવાયા છે જેમને તરત પ્રભાવથી લાગુ કરી દેવાયા છે. નિયમોનુ પાલન ન કરનાર સ્કુલો પર કડક કાર્યવાહી કરવામાં આવશે.
શુક્રવારથી અચાનક પંજાબમાં ઠંડી વધી ગઈ છે. આ સિવાય ઓમિક્રોનનુ જોખમ પણ બનેલુ છે. એવામાં શિક્ષણ વિભાગ પણ બાળકોના સ્વાસ્થ્યને લઈને ઘણુ ગંભીર થઈ ગયુ. આ મામલે સોમવારે ઉચ્ચ અધિકારીઓની મીટિંગ થઈ જેમાં આ મામલે ગંભીરતાથી વિચાર કરવામાં આવ્યો. જે બાદ સ્કુલમાં રજા સંબંધી આદેશ જારી કરવામાં આવ્યા છે.
શિક્ષણ વિભાગ તરફથી જારી આદેશ સરકારી, પ્રાઈવેટ એડેડ અને માન્યતા પ્રાપ્ત સ્કુલો પર લાગુ થશે. આ આદેશ ડાયરેક્ટર શિક્ષણ વિભાગ તરફથી જારી કરવામાં આવ્યા છે. આનાથી ચંદીગઢ શિક્ષણ વિભાગે વીસ ડિસેમ્બરથી સાત જાન્યુઆરી સુધી વિંટર વેકેશનનુ એલાન કરી દીધુ હતુ. જોકે ત્યાં પર કેટલાક સ્કુલ આનો વિરોધ કરી રહ્યા છે.