પંજાબમાં ૩૦ દિવસમાં ૨૫ હત્યા: સિધ્ધુએ પોલીસને ત્રણ દિવસનું અલ્ટીમેટમ આપ્યું

ચંડીગઢ, પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજાેત સિંહ સિદ્ધુએ પટિયાલામાં રાજ્યની આમ આદમી પાર્ટી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે જે રાજ્યમાં છેલ્લા ૩૦ દિવસમાં ૨૫ હત્યા, કોઈ કેવી રીતે જીવી શકે.
આમ આદમી પાર્ટી સરકારે તેના વચનો અનુસાર પહેલાં પંજાબીઓને સુરક્ષા આપવી જાેઈએ. પંજાબી યુનિવર્સિટી પાસે કબડ્ડી ક્લબના વડા ધર્મિન્દર સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.
ઘટના બાદ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પોલીસે આ કેસમાં ચાર લોકોના નામ આપ્યા છે. બે અજાણ્યા લોકો સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે.
સિદ્ધુએ સીએમ ભગવંત માન પર પ્રહાર કરતાં કહ્યું કે પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિત કથળી છે. અને સીએમ અન્ય રાજ્યોમાં પ્રચાર કરી રહ્યા છે. સિદ્ધુએ આરોપીઓની ધરપકડ માટે પોલાસને ત્રણ દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું.
જાે પોલીસ કાર્યવાહી નહી કરે તો તે આગળ રણનીતિ બનાવશે. સિદ્ધુએ એસએસપી વાત કરી અને કહ્યું કે ખેલાડીની હત્યાના આરોપીને પકડવો જરૂરી છે. પંજાબમાં આજે કોઈ સુરક્ષિત નથી. સરકારે આ તરફ ધ્યાન આપવું જાેઈએ અને જરૂરી પગલાં લેવા જાેઈએ.
પંજાબી યુનિવર્સિટી પાસે મંગળવારે મોડી રાત્રે કબડ્ડી ક્લબના વડા ધર્મિન્દર સિંહ ઉર્ફે ભિંદા (૩૨)ની કેટલાક લોકોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ઘટના બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. સંબંધિત પોલીસ સ્ટેશન અર્બન એસ્ટેટ પોલીસે આ કેસમાં ચાર લોકોના નામ આપ્યા છે. બે અજાણ્યા લોકો સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે.
આ ઘટના મંગળવારે મોડી રાત્રે ૧૧.૩૦ વાગ્યે બની હતી અને તે પંજાબી યુનિવર્સિટીની સામે સ્થિત પેટ્રોલ પંપની પાછળ સ્થિત માર્કેટ અને પીજી વિસ્તારની છે. ધર્મિન્દર સિંહ તેમના ગામની કબડ્ડી ક્લબના વડા હતા.
તે અવારનવાર ગામમાં કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરતો અને પોતે પણ કબડ્ડી રમતા. ગામમાં બે જૂથ વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. બંને જૂથો એકબીજા સાથે વાટાઘાટો દ્વારા સમાધાન કરવા પંજાબી યુનિવર્સિટી પાસેના ઢાબા પર પહોંચ્યા હતા.HS