Western Times News

Gujarati News

પંડિત દીનદયાળજીની જન્મ જયંતીએ પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કરતા મુખ્યમંત્રી

એકાત્મ માનવ વાદના પ્રણેતા  પંડિત દીનદયાળજીની જન્મ જયંતિએ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ  પટેલે  ભાવસભર અંજલિ આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએઆજે અમદાવાદમાં મણિનગર ખાતે  પંડિત દિનદયાળજીની પ્રતિમાને  શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

આ અવસરે અમદાવાદના મેયર શ્રી કિરીટભાઈ પરમાર મણિનગરના ધારાસભ્ય શ્રી સુરેશભાઈ પટેલ અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન શ્રી હિતેશ બારોટ,  શહેર ભાજપ પ્રમુખ શ્રી અમિતભાઇ શાહ મ્યુનીસીપલ કાઉન્સિલરો અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.