પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની જન્મજયંતી નિમિત્તે વિધાનસભામાં પુષ્પાંજલિ
ભારતમાતાના સપૂત અને ગુજરાતના પનોતા પુત્ર ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની 164 મી જન્મજયંતી નિમિત્તે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે સોમવારે સવારે વિધાનસભા પોડિયમ ખાતે તેમના તૈલચિત્રને ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી સ્વતંત્રતા સંગ્રામમાં તેમના અમૂલ્ય પ્રદાન બદલ કૃતજ્ઞતા પ્રગટ કરી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પંકજ દેસાઈ, તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.