પરીવારજનોની સ્મૃતિમા આર.ઓ-વોટર કુલર અર્પણ કરાયુ
હળવદ શહેરના જોષીફળી વિસ્તારમા રેહતા ચિંતનભાઈ અશ્ર્વિનભાઈ પરમાર તેમજ બીપીનભાઈ મુળજીભાઈ પરમાર (ફ્રુટવાળા) પરીવાર દ્રારા લક્ષ્મીનારાયણ ચોક ખાતે તેમના પરીવારજનો સ્વ.અશ્ર્વિનભાઈ (રાજુભાઈ) મુળજીભાઈ પરમાર તેમજ સ્વ.સિધ્ધાર્થ(સન્નીભાઈ) બીપીનભાઈ પરમારના સ્મરણાર્થે આર.ઓ પ્લાન્ટ સાથે સો લીટર પાણીની કેપીસીટી ધરાવતુ અંદાજીત પંચ્યાસી હજાર (૮૫૦૦૦)ના ખર્ચે વોટર કુલર જન હિતાર્થે પાણી પરબ ખાતે અર્પણ કરાયુ હતુ,જે તસ્વીરમા નજરે પડે છે.
તસ્વીરઃજીજ્ઞેશ રાવલ,હળવદ