Western Times News

Gujarati News

પહેલા નોરતે મુખ્યમંત્રીએ ભદ્રકાળી મંદિરે દર્શન કર્યા

અમદાવાદઃ ગુરૂવારે નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રથમ નોરતાએ અમદાવાદના નગરદેવી માતા ભદ્રકાળી મંદિર પરિસરમાં આરતી કરી હતી. અહીં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અમદાવાદના મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ સહિતના નેતાઓએ ગરબા નિહાળ્યા હતા. આ દરમિયાન ભાજપના કોર્પોરેટરો સહિત અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યાં હતા.

ભદ્રકાળી મંદિર પરિસરમાં નિર્ણયનગર ગ્રુપના 60 ખેલૈયાઓ દ્વારા દ્વારા ગરબા રમવામાં આવ્યા હતા. અહીં ટ્રેનિશનલ ડ્રેસ પહેરી ખેલૈયાઓએ રમઝટ બોલાવી હતી. ઐશ્વર્યા મજુમદારના સ્વરમાં ગરબાની મજા માણી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.