પાદરાના મુજપુરથી બોરસદ જતા રોડ પર આવેલી કંપનીમાં આગ
(એજન્સી) વડોદરા, જિલ્લાના પાદરામાં એક વિકરાળ આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે. પાદરાના એકલબારા ગામ પાસે આવેલી અરવલ્લી કેસ્ટોર કંપનીમાં આ ભીષણ આગ લાગી હતી. થોડી વારમાં આ આગે વિકરાળ રૂપ લીધુ હતુ. જે બાદ આખા વિસ્તારમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.
આગની આ ઘટના બાદ અહીં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ તરત જ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જે બાદ ફાયર વિભાગનો કાફલો પહોંચ્યો હતો. આ સિવાય સ્થાનિકોની મદદથી ફાયર વિભાગે રેસ્ક્યૂ ઓપરેશન પણ હાથ ધર્યુ હતુ.
જેમાં ભારે જહેમત બાદ ફસાયેલા કર્મચારીઓને આબાદ બચાવી લેવામાં આવ્યા હતા. સાથે જ ફાયર વિભાગે આ વિકરાળ આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ કર્યો હતો. આગ લાગતા દૂર દૂર સુધી આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઉડતા જાેવા મળ્યા હતા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આગની આ ઘટના પદારાના મુજપુરથી બોરસદ જતા રોડ પર આવેલી એક અરવલ્લી કેસ્ટોર કંપનીમાં બની હતી. આગ લાગવાની જાણ થતા જ કંપનીમાં રહેલાં કર્મચારીઓમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી. થોડી વાર માટે તો અહીં ભારે અફરાતફરી સર્જાઈ હતી.
જાેતજાેતામાં આ આગે વિકરાળ રૂપ લીધું હતું. જે બાદ કંપનીનો એ આખો વિસ્તાર આગની લપેટમાં આવી ગયો હતો. જાે કે, આગ લાગતા કેટલાંક કર્મચારીઓ અંદર ફસાયા હતા. જેમનું રેસ્ક્યૂ કરીને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. થોડી જ વારમાં ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.