પાર્લામેન્ટ ઑફ ઇન્ડિયા 2021નો મુખ્યમંત્રીએ શુભારંભ કરાવ્યો
યુવા પેઢીને કાયદા નિર્માણની લોકતાંત્રિક પ્રક્રિયાથી પરિચિત કરવાના ઉદ્દેશ સાથે ગાંધીનગર પાસે આવેલ કર્ણાવતી યુનિવર્સિટી દ્વારા આયોજીત યુથ પાર્લામેન્ટ ઑફ ઇન્ડિયા 2021 નો મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ઝાલર વગાડીને શુભારંભ કરાવ્યો હતો તથા તેની ભવ્ય સફળતા માટે શુભકામના પાઠવી હતી.
આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ભારતની લોકતાંત્રિક શાસન વ્યવસ્થામાં યુવાનો મહત્વનો ભાગ ભજવી શકે છે. મનોમંથન અને સંવાદ દ્વારા યુવાનોને જ્ઞાનરૂપી અમૃત પ્રાપ્ત થવાની સાથોસાથ ઉત્કૃષ્ટ યુવાશક્તિના જાગરણથી ઉન્નત રાષ્ટ્રનિર્માણની નેમમાં યુથ પાર્લામેન્ટ એક અગત્યનું પરિબળ બની રહેશે.