પુરી-અમદાવાદ તેમજ સિંકદરાબાદ-રાજકોટ ટ્રેનમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) પુરીથી અમદાવાદ આવતી ટ્રેનમાં અંકલેશ્વર-ભરૂચ વચ્ચે રેલ્વે ર્જીંય્ એ ૧૨ કિલો ગાંજો ભરેલી બિનવારસી બેકપેક હસ્તગત કર્યો છે તો.સિંકદરાબાદ – રાજકોટ ટ્રેન માંથી ૧૮ કિલો ગાંજા સાથે એક ઈસમને ઝડપી પાડી કુલ ૩૦.૩૮૦ કિલો મળી ૩,૦૩,૮૦૦ નો મુદ્દમાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
રેલ્વે ર્જીંય્ નો સ્ટાફનો સ્ટાફ સુરતથી મધરાતે પુરીથી અમદાવાદ જતી ટ્રેનમાં ચઢ્યો હતો.ટ્રેનમાં ચેકીંગ કરતા કરતા મધરાતે ૩ વાગ્યાના અરસામાં અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પસાર થતા જનરલ કોચમાં પોહચ્યા હતા.જ્યાં જનરલ કોચના ટોયલેટ નજીક બિનવારસી બેકપેક મળી આવી હતી.જરનલ કોચમાં રહેલા પેસેન્જરો અને આસપાસ તપાસ કરતા આ બેકપેક અંગે કોઈ માહિતી મળી ન હતી.પાંચ ચેઈન વાળી બેકપેકને ખોલતા તેમાં ખાખી સેલોટેપથી બાંધેલા બે બંડલ મળી આવ્યા હતા.
જેમાં શંકાસ્પદ વનસ્પતિ જન્ય નશીલો પ્રદાર્થ માલુમ પડતા ભરૂચ સ્ટેશને બેક સાથે ઉતરી ય્ઇઁ માં બેકપેક લઈ જવાય હતી.ભરૂચ રેલ્વે પોલીસ, સ્ટેશન અધિક્ષક સાથે હ્લજીન્ ને જાણ કરી પંચોની હાજરીમાં બેગ ખોલાતા તેમાંથી ૧૨ કિલો ઉપરાંતનો રૂપિયા ૧.૨૧ લાખનો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જે જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ટ્રેનમાં રેલવે પોલીસનું ચેકીંગ જોઈ કેરિયર ગાંજો ભરેલી બેકપેક બિનવારસી છોડી ફરાર થઈ ગયો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. તો બીજા બનાવમાં સિંકદરાબાદ – રાજકોટ ટ્રેન માંથી ઓરિસ્સાના ૪૨ વર્ષીય ઋષિકેશ ગણપતિ સ્વાઈ પાસેથી ૧૮ કિલો ઉપરાંત ગાંજાનો જથ્થો મળી આવતા ૧,૮૧,૦૦૦ ના મુદ્દામાલ સાથે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રેન મારફતે અન્ય રાજ્ય માંથી ગાંજા નો જથ્થો ગુજરાતમાં ઠાલવવામાં આવી રહ્યો છે.ત્યારે રેલ્વે પોલીસ અને આરપીએફ દ્વારા ટ્રેન માં સતત ચેકીંગ હાથ ધરવાની જરૂર હસે કારણ કે ટ્રેન મારફતે ગેરકાનૂની ચીજ વસ્તુઓની અવરજવર વધુ જોવા મળી રહી છે.