પૃથ્વી અંબાણીનો જન્મદિન જામનગર ખાતે ઉજવાશે
મુંબઈ, ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનો પૌત્ર પૃથ્વી આકાશ અંબાણીનો પહેલો બર્થ ડે છે. અંબાણી પરિવારે તેને ખાસ બનાવવા માટે ગ્રાન્ડ સેલિબ્રેશન કરવાનું નક્કી કર્યું છે. ખૂબ જલ્દી ગ્રાન્ડ સેલિબ્રેશન થવાનું છે.
આકાશ અંબાણી અને પત્ની શ્લોકા મહેતા અંબાણીના દીકરાના જન્મદિવસની ઉજવણી ૧૦ ડિસેમ્બરે, શનિવારે સાંજે જામનગરમાં થવાની છે, જેમાં ૧૦૦ પંડિતો પૃથ્વીને આશીર્વાદ આપશે. જેમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ તેમજ સચિન તેંદુલકર સહિતના બોલિવુડના કેટલાક સિલેક્ટેડ સેલેબ્સ સેલિબ્રેશનમાં હાજર રહેવાના છે. મહેમાનોને બર્થ ડે માટે અનુસરવાના સલામતી પ્રોટોકોલ જણાવતી થીમવાળી નોટ આપવામાં આપી છે.
જેમાં ઉલ્લેખ કરાયો છે કે, તમામ મહેમાનોએ બંને રસી લીધેલી હોવી જરૂરી છે. તેમાં લખેલું છે કે ‘મુંબઈના બહારના મહેમાનોને ૭ ડિસેમ્બરથી રોજ ટેસ્ટ રિપોર્ટ શેર કરવા માટે વિનંતી છે.
આ વિકલ્પ ત્યારે જ ઉપલબ્ધ છે જ્યારે મહેમાનો પ્રાઈવેટ જેટ દ્વારા તેમના શહેરથી જામનગર માટે ઉડાણ ભરી રહ્યા હોય’. તેમા તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ૧૦મીએ મુંબઈથી જામનગર માટે ફ્લાઈટનું આયોજન કરવામાં આવશે અને ૧૧મીએ રિટર્ન ફ્લાઈટ હશે. મહેમાનો પાસે જામનગરના ફેમિલી ગેસ્ટહાઉસમાં ક્વોરન્ટિન થવાનો પણ વિકલ્પ આપવામાં આવ્યો છે.
સેલિબ્રેશન પૂરી રીતે ક્વોરન્ટાઈન બબલ પાર્ટી હશે તેમ કહેવામાં આવી રહ્યું છે. શ્વોકા અંબાણીએ દીકરા પૃથ્વીના બર્થ ડે માટે નેધરલેન્ડથી રમકડા મગાવ્યા છે. ફંક્શનમાં ભોજન તૈયાર કરવા માટે ઈટલી અને થાઈલેન્ડથી ઈન્ટરનેશનલ શેફની ટીમ આવવાની છે.
સેલિબ્રેશન સાથે સંકળાયેલા નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે ‘ગિફ્ટ અને રમકડા જામનગરના કેટલાક અનાથાશ્રમમાં મોકલવામાં આવશે. અંબાણી ફાર્મહાઉસની આસપાસ રહેતા ગ્રામજનોને પણ ફૂડ મોકલવાની યોજના અંબાણી પરિવારે બનાવી છે’.SSS