Western Times News

Gujarati News

પોઇચાના શ્રી સ્વામીનારાયણ મંદિરના સ્વામીનો સંદેશો

પોઇચાના શ્રી સ્વામીનારાયણ મંદિર-નિલકંઠધામના સ્વામીશ્રી ચૈતન્ય સ્વરૂપ દાસે તેમના સંદેશામાં જણાવ્યું છે કે, કોરોના વાયરસ  ચેપી રોગ છે અને તેનો ફેલાવો લોકસંપર્ક થકી વધે છે, ત્યારે સરકારશ્રી દ્વારા જે તકેદારીના પગલાં લેવામાં આવે છે તેનું પાલન કરીએ. સ્વામીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, પોઇચા નિલકંઠધામ મંદિર પણ દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં  આવ્યું છે અને અહીં કામ કરતાં મોટાભાગના કર્મચારીઓને રજા આપવામાં આવી છે. અહીં ૨૦ થી ૨૫ એકરમાં સેનેટાઇઝેશનની કામગીરી પણ કરવામાં આવી  રહી છે.

તેમના હરિભક્તોને પણ સ્વામીશ્રીએ અપીલ કરી છે કે, તમે પણ લોકોમાં કોરાના વાયરસથી બચવા જનજાગૃત્તિ દેશ અને વિદેશમા પણ જે હરિભક્તો છે  તેને પણ ફોન દ્વારા તેમજ સોશિયલ મિડીયાના માધ્યમ થકી વ્યાપક પ્રચાર-પ્રસાર  કરીને જાગૃત કરવાનું કામ પણ આપણે સૌ કરીએ.  લોકોએ કોરોનાથી ડરવાની જરૂર નથી માત્ર સતર્કતા અને સજાગતા જરૂરી હોવાનું તેઓશ્રીએ ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.