પ્રાંતિજના બાલીસણાનો કિશોર કુવામા પડી જતા મોત
(પ્રતિનિધિ) પ્રાંતિજ, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના બાલીસણા ગામનો કિશોર પોતાના ખેતર ના કુવામા પડી જતા મોત નિપજયુ હતુ તો કિશોર ના મોત ને લઈ ને પરિવાર સહિત સંગાસંબધીઓ સહિત ગામમા શોક નુ મોજુ ફરી વળ્યુ .
પ્રાંતિજ ના બાલીસણા ગામે પોતાના ખેતર મા કુવા પાસે ધરૂ વાડીયામાં ચકલા ઉડાડવા ગયેલ ૧૬ વર્ષ નો કિશોર હેત હસમુખભાઇ પટેલ નો કુવા પાસે હતો
રાત્રી ના વરસાદ ને લઈ ને ૧૬ વર્ષ નો કિશોર હેત હસમુખભાઇ પટેલ નો પગ લપસી જતા કિશોર પાસે આવેલ કુવા માં પડયો હતો તો બુમાબુમ થતા આજુબાજુ માથી લોકો દોડી આવ્યા હતા અને પ્રાંતિજ ફાયર બ્રિગેડ ટીમ તથા ૧૦૮ ને જાણ કરી હતી તો પ્રાંતિજ ફાયર બ્રિગેડ ટીમ ના મુકેશભાઈ પરમાર , ગોપાલભાઈ પટેલ , સાગરભાઇ પટેલ સહિત ની ટીમ દોડી આવી હતી.
અને કુવામા પડેલ કિશોર ને બહાર કાઢવામા આવ્યો હતો તો તાત્કાલીક ૧૦૮ મારફતે કિશોર ને પ્રાંતિજ સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામા આવ્યો હતો પણ પ્રાંતિજ સિવિલ ખાતે હાજર તબીબી દ્રારા કિશોર ને મૃત જાહેર કરવામા આવ્યો હતો તો મૃતક હેત હસમુખભાઇ પટેલ પ્રાંતિજ ખાતે આવેલ તક્ષશિલા સ્કુલ મા અભ્યાસ કરતો હતો
અને આ વર્ષે કોરોના ને લઈ ને ધોરણ-૧૦ મા માસ્ક પ્રમોશન થી પાસ થયો હતો તો એકના એક પુત્ર હેત ના મોત ના સમાચાર ને લઈ ને પરિવાર ઉપર આભ ફાટયુ હતુ તો કિશોર ના મોત ને લઈ ને પરિવાર સંગાસંબધીઓ સમાજ સહિત ગ્રામજનો મા શોક નુ મોજુ ફરી વળ્યુ હતુ .