Western Times News

Gujarati News

પ્રિયંકા ગાંધી જ્યાંથી ચૂંટણી લડશે ત્યાંથી જ હું લડીશ: દિનેશ પ્રતાપ સિંહ

લખનૌ, એમએલસી દિનેશ પ્રતાપ સિંહે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીના તાજેતરના યુપી પ્રવાસને લઇને ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે પ્રિયંકાનો બે દિવસીય પ્રવાસ એક દિવસમાં સમાપ્ત થઇ ગયો હતો કારણ કે જનતા તેમને મળવા માગતી ન હતી. એમએલસીએ ગાંધી પરિવારને સુવિધા ભોગી પરિવાર પણ ગણાવ્યો. સાથે જ તેમણે કહ્યું કે પ્રિયંકા ગાંધી જે વિધાનસભાથી ચૂંટણી લડશે. હું પણ ત્યાંથી પોતાની પાર્ટીથી ટિકિટ લઇને ચૂંટણીની તૈયારી કરીશ.

એમએલસી દિનેશ પ્રતાપ સિંહે કહ્યું કે ગાંધી પરિવારના લોકો જનતાની સેવા નથી કરવા માંગતા. જાે કોઇ મહેનત કરી રહ્યું છે તો તે બીજેપીના લોકો છે. તે આજે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરતા નજરે આવી રહ્યાં છે. યુપીના મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રી સતત મહેનત કરતા આવી રહ્યા છે.

એમએલસીએ પ્રિયંકા ગાંધીના રાયબરેલીથી ચૂંટણી લડવા પર કહ્યું કે જાે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કોઇ પણ વિધાનસભાથી રાયબરેલીમાં ચૂંટણી લડશે તો હું બીજેપીને વિનંતી કરીશ કે તે મને તે જ વિધાનસભાની ટિકિટ આપે અને હું પ્રિયંકા ગાંધી સામે ચૂંટણીમાં ઉભો રહીશ.

રાયબરેલી ભાજપના એમએલસી દિનેશ પ્રતાપ સિંહે મંગળવારે પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન, કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીની રાયબરેલીની બે દિવસીય મુલાકાત અંગે નિવેદન આપતા તેમણે કહ્યું કે તે બે દિવસની મુલાકાત ન હતી. તે માત્ર એક દિવસનો પ્રવાસ હતો. બીજા દિવસે પ્રિયંકા ગાંધી જનતાને મળ્યા જ નહોતા અને તેઓ સવારે જ રવાના થઇ ગયા હતા. કારણ કે જિલ્લાના લોકો તેને મળવા પણ આવ્યા ન હતા. તેણીએ કહ્યું કે જાે સો લોકો હોત તો પણ તે બીજા દિવસે દિલ્હી જવા ન નીકળી હોત.

એમએલસીએ ગાંધી પરિવાર પર સુખ સુવિધા પૂર્ણ જીવન જીવવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે જે આરામદાયક જીવન જીવે છે, તે લોકો સુધી પહોંચવામાં સક્ષમ નથી. તેમણે કહ્યું કે હવે લોકો આ દેશમાં જે મહેનત કરે છે તેનું જ સન્માન કરાશે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી દેશમાં સુખ સુવિધા પૂર્ણ જીવન જીવનાર છે, તેથી હવે જનતા તેમને સન્માન નહી આપે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.