ફલશ્રુતિ નગરમાં વ્યાસ હોસ્પીટલને કોરોનાની સારવાર માટે મંજૂરી મળતા કોમ્પ્લેક્ષના લોકોનું આવેદન
હોસ્પીટલ કોમર્શીયલ બિલ્ડીંગ માં હોવાના કારણે અન્ય લોકોને કોરોના સંક્રમણનો ભય: હોસ્પીટલની કોરોનાની મંજૂરી રદ્દ કરવા કલેકટર સમક્ષ બિલ્ડીંગના લોકોની માંગણી : રદ્દ નહિ કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા ની ચીમકી ઉચ્ચારી.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ જીલ્લા માં કોરોનાનું સંક્રમણ સતત વકરી રહ્યું છે અને દિન પ્રતિદિન દર્દીઓ ની સંખ્યા માં વધારો થઈ રહ્યો છે.જેના પગલે સરકારી હોસ્પીટલ સહીત ખાનગી હોસ્પીટલો માં બેડ નો અભાવ જોવા મળી રહ્યો હતો.જે બાદ વધુ ૧૦ ખાનગી હોસ્પીટલોને મંજૂરી મળતા જ કોરોના ની સંખ્યા માં સતત વધારો થઈ રહ્યો છે.ત્યારે ભરૂચ ની ફલશ્રુતિ નગર માં કોમર્શીયલ બિલ્ડીંગ માં આવેલ હોસ્પીટલ ને કોરોના ની સારવાર માટે ૧૫ બેડ ની મંજૂરી મળતા બિલ્ડીંગ ના લોકોએ કોરોના હોસ્પીટલ તરીકે ની મંજૂરી રદ્દ કરવાની માંગણી અને આક્રોશ સાથે ભરૂચ જીલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી મંજૂરી રદ્દ કરવાની માંગ ઉઠાવી છે.
ભરૂચ જીલ્લા માં અનેક હોસ્પીટલોને કોરોના ના દર્દીઓ ની સારવાર માટે મંજૂરી મળી રહી છે.ત્યારે કોરોના નો કોઈ ઈલાજ જ નહીં તો પછી ખાનગી હોસ્પીટલોને મંજૂરી કેવી રીતે આપવામાં આવી રહી છે.ત્યારે ભરૂચ ના સ્ટેશન રોડ ઉપર આવેલ અને હોસ્પીટલો નું હબ ગણાતા ફલશ્રુતિ નગર માં કોમર્શીયલ બિલ્ડીંગ માં આવેલ હોસ્પીટલ ને કોરોના ના દર્દીઓ ની સારવાર માટે ૧૫ બેડ ની મંજૂરી મળતા બિલ્ડીંગ માં આવેલ ઓફિસ,દુકાન અને મકાન ધરાવતા લોકોને કોરોના સંક્રમણનો ભય સતાવતા સાથે સ્થાનિકોને જવા માટે એક જ દાદર તથા એક જ લીફ્ટ હોય બીજા દરેક દર્દીઓ તથા ઓફીસમાં મળવતા આવા માણસો તથા ઓફીસ ના માણસો પણ સંક્રમણ થવાના પુરેપુરા ચાન્સ રહેલા છે.
જેથી હોસ્પીટલને આપેલી કોરોના અંગે ની મંજૂરી રદ્દ કરવાની મંજૂરી સાથે ભરૂચ જીલ્લા કલેકટર ને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી અને મંજુરી રદ્દ નહિ કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા તથા બીજા પગલા લેવાની ચીમકી ઉચ્ચારવા સાથે તેની સંપૂર્ણ જવાબદારી પરમીશન આપના અધિકારીઓ ની રહેશે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આ વિસ્તાર માં ૧૫ થી વધુ વિવિધ હોસ્પીટલો તથા સતત રહેણાંક વિસ્તાર હોવાના કારણે પણ કોરોના નું સંક્રમણ આ વિસ્તાર માં વધુ વકરી શકે તેવા પણ આક્ષેપો આવેદન પત્ર સુપ્રત કરનારાઓ એ કર્યા હતા.