Western Times News

Gujarati News

ફિરોઝાબાદમાં ભાજપના નેતા દયાશંકર ગુપ્તાની હત્યા

લખનૌ, ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાં ત્રણ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ભાજપના નેતા ડી કે ગુપ્તાની નિર્મમ હત્યા કરવામાં આવી છે ગુપ્તા ભાજપ મંડળના ઉપાધ્યક્ષ હતાં અજાણ્યા વ્યક્તિઓએ તેમને ઘેરીને તેમના પર આડેધડ ગોળીબાર કર્યા હતાં જેમાં તેમનું મોત થયુ હતું. આ ઘટના બાદ ગુનેગારો ફરાર થઇ ગયા છે. પોલીસે તેમને પકડવા માટે પ્રયાસો શરૂ કર્યા છે. ભાજપના નેતાની નિર્મમ હત્યાથી વિસ્તારમાં આક્રોશ ફેલાઇ ગયો છે ગુસ્સે ભરાયેલા લોકોએ માર્ગો પર ઉતરી હંગામો કર્યો છે
પોલીસ અધિક્ષક મુકેશ ચંદ્ર મિશ્રે આ ઘટનાને લઇને કહ્યું કે નગલા બીચમાં દયા શંકર ગુપ્તાની અજાણ્યા વ્યક્તિઓએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. ગુપ્તા નારખી વિસ્તારના નગલા બીચ ગામમાં પોતાની દુકાનમાં બેઠા હતાં.

ત્યારે એક બાઇકમાં સવાર થઇને ત્રણ અજાણ્યા વ્યક્તિઓ ત્યાં પહોંચ્યા હતાં અને આડેધડ ગોળીબાર કર્યો હતો. ગોળી લાગ્યા બાદ તેમને તાકિદે આગ્રાના પુષ્પાંજલિ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં જયાં તેમનું મોત થયુ હતું આક્રોશિત લોકોએ પચોખરા ટુંડલા માર્ગને જામ કરી દીધો આ દરમિયાન સ્થાનિક લોકોની પોલીસ સાથે બોલાચાલી પણ થઇ રોૅડ પર ઘણી ભીડ એકઠી થઇ જયાં આ ઘટના બની ત્યાં ટુંડલા વિસ્તારમાં આવે છે અને ટુંડલા વિધાનસભામાં પેટાચુંટણી છે. ત્રણ નવેમ્બરે આ મતદાન થવાનું તેવામાં ભાજપના મંડળ ઉપાધ્યક્ષ દયાશંકર ગુપ્તાની આ પ્રકારે ત્રણ લોકો દ્વારા હત્યા કરવામાં આવી છે આ ધટનાને પરિણામ આપ્યા બાદ આરોપી ફરાર થતાં લોકોમાં પોલીસના મોટા અધિકારીઓ પ્રત્યે ઘણો ગુસ્સો છે.Hs


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.