Western Times News

Gujarati News

બાબિલ ખાન અને અલાયા એફ બોધાયન રોયચૌધરીની ફિલ્મ કરશે

આ ફિલ્મ સત્ય ઘટના પર આધારીત હશે

બાબિલે આ પહેલાં ‘લોગઆઉટ’ કરી હતી, જે ઓટીટી પર રિલીઝ થઈ હતી, તેમાં તેના અભિનયના વખાણ પણ થયા હતા

મુંબઈ, બોલિવૂડમાં આજકાલ નવી અને અલગ પ્રકારની જોડીઓનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તેમાં વધુ એક જોડીની ચર્ચા છે. બે મજબુત અને સજ્જ એક્ટર્સ તરીકે ઓળખાતી યંગ એક્ટર્સની જોડી એકસાથે જોવા મળશે.  આ કોઈ રોમેન્ટિક ફિલ્મ નહીં પણ બોધાયન રોયચૌધરીની સત્ય ઘટના પર આધારીત ફિલ્મ હશે, જેઓ પહેલાં ‘સેક્ટર ૩૬’ જેવી ફિલ્મ લખી ચૂક્યા છે.સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર બોધાયન રોયચૌધરી એક ફિલ્મ ડિરેક્ટ કરવા જઈ રહ્યાં છે.

તેમણે બનાવેલ સેક્ટર ૩૬માં વિક્રાંત મેસ્સી હતો અને આ અગાઉ તેમણે ‘તલાંખો મેં એક’ ફિલ્મ પણ ડિરેક્ટ કરી હતી. આ એક ક્રાઇમ થ્રિલર અને સત્ય ઘટનાઓ પર આધારીત ફિલ્મ હશે.બાબિલે આ પહેલાં ‘લોગઆઉટ’ કરી હતી, જે ઓટીટી પર રિલીઝ થઈ હતી. તેમાં તેના અભિનયના વખાણ પણ થયા હતા. પછી તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એવી પણ જાહેરાત કરી હતી કે તે થોડા સમય માટે બ્રેક લઈ રહ્યો છે, સાથે જ તેણે સાઈ રાજેશની ફિલ્મ છોડવાની પણ જાહેરાત કરી હતી. આ વિખવાદ વચ્ચે સાઇ રાજેશ અને બાબિલ તો આજે પણ એવો જ દાવો કરે છે કે તેમની વચ્ચે બધું બરાબર છે.

બાબિલને પોતાના માટે થોડો સમય જોઈતો હતો એટલે એણે એ ફિલ્મ છોડી છે. આ ઉપરાંત થોડાં વખત પહેલાં બાબિલે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક ઇમોશનલ વીડિયો પણ શેર કર્યાે હતો, જેમાં તેણે અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદી અને અન્ય કલાકારોને રુડ ગણાવ્યાં હતાં.જો અલાયા એફની વાત કરવામાં આવે તો તેણે છેલ્લે રાજકુમાર રાવની શ્રીકાંતમાં કામ કર્યું હતું. આ પણ એક બાયોગ્રાફી ફિલ્મ હતી, જેમાં શ્રીકાંત બોલાની વાત હતી. ત્યારે આવા બે સારા કલાકારોને સાથે જોવા એ ફિલ્મના દર્શકો માટે પણ એક લ્હાવો હશે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.