બાયડમાં કોરોનાને કાબૂમાં લેવા તા ૨૨થી ૩૦ એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન ની જાહેરાત

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ જે રીતે કોરોના વિસ્ફોટ થયો છે તેમાં અરવલ્લી જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ૩ સપ્તાહથી કોરોનાના કેસમાં ખૂબ જ વધારો થયો છે. આ વખતે શહેરી ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના સંક્રમણે પોતાનો વ્યાપ વધારી દીધો છે. જેના કારણે અનેક ગામડાઓ-નગરોએ સ્વૈચ્છિક લોક ડાઉનનો માર્ગ અપનાવી રહ્યા છે બાયડ તેમજ આજુબાજુનાં ગામડામાં કોરોના સંક્રમણ નો વ્યાપ વધી રહ્યો છે કોરોનાના સંક્રમણને અટકાવવા વેપારી એશોસિએશન અને નગરપાલિકા તંત્ર દ્વારા સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરવાની ફરજ પડી છે બાયડમાં તારીખ ૨૨/ ૪/ ૨૦૨૧ થી તારીખ ૩૦ /૪/ ૨૦૨૧ એક સપ્તાહ સુધી તમામ ધંધા-રોજગાર સંપૂર્ણ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે જીલ્લામાં કોરોનાથી લોકો ટપોટપ મોતને ભેટી રહેતા લોકોમાં ભય ફેલાયો છે બાયડ તાલુકાના સરસોલી ગામના યુવકને કોરોના ભરખી જતા તેમજ ચોઇલા ગામના બે યુવાનોને કોરોના ભરખી જતા પંથક માં હાહાકાર મચી જવા પામ્યો છે
બાયડ નગરપાલિકા ટાઉનહોલમાં બાયડના ના મેયર અધ્યક્ષ સ્થાને નગરપાલિકા તંત્ર અને શહેરના વેપારી મંડળ અને વિવિધ સંગઠનો સાથે બેઠક યોજી તાલુકામાં બેકાબુ બનેલ કૉરોના સંક્રમણની ગતી ધીમી પાડવા માટે અને કોરોના ની ચેઇન ને તોડવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને બાયડ નગરપાલિકા ના માધ્યમથી તમામ દુકાનો સંપૂર્ણ બંધ રાખવા આહ્વાન કરવામાં આવ્યું હતું આગામી તારીખ ૨૨ ગુરુવાર થી તારીખ ૩૦ એપ્રિલ શુક્રવાર દરમિયાન સંપૂર્ણ બજાર બંધ રહેશે. જીવનજરૂરિયાત અને આવશ્યક ચીજવસ્તુઓ માટે કોઈ પણ પ્રકારની પાબંધી લાદવામાં આવી નથી જેથી નગરજનોને કોઈ પણ પ્રકારની અગવડતા ઊભી થાય નહિ તેવી બેઠકમાં માહિતી પુરી પાડવામાં આવી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે ,કોવીડ-૧૯ રોગચાળો જિલ્લામાં વ્યાપક પણે વિસ્તરી રહયો છે. આ વેળાએ કોરોનાનું સંક્રમણ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં મોટાપાયે વકરી રહ્યો છે. તેને ધ્યાને લઈ વેપારી એસોસિયેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે