બિગ બીના ઘર જલસામાં ચામાચીડિયાનો આતંક
મુંબઇ, સદીના મહાનાયક અને બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં એક સમસ્યા ફેન્સ સાથે શેર કરી છે. તેમણે પોતાની સમસ્યા ફેન્સ સાથે શેર કરીને તેમના અભિપાર્ય પણ માંગ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે એપ્રિલ મહિનામાં અમિતાભ બચ્ચનના ઘરમાં એક ચામાચીડિયું આવી ગયુ હતું. હવે ફરી એકવાર અમિતાભ બચ્ચનના ઘર જલામાં ચામાચીડિયાએ આતંક મચાવ્યો છે.
અમિતાભ બચ્ચને પોતે આ વાતની જાણકારી આપી છે. અમિતાભ બચ્ચને જણાવ્યું કે, ચામાચીડિયાને કારણે તેમના પરિવારના લોકો ડરેલા છે. અમિતાભે ફેન્સ પાસે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સલાહ પણ માંગી છે. અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં આખી વાત જણાવી છે.
અમિતાભ બચ્ચન લખે છે કે, ચામાચીડિયા સાવધાની રાખવામાં આવી હોવા છતાં કાલે ફરી તેનો સામનો થયો. અનેક જરુરી યંત્રો મંગાવવામાં આવ્યા, જે ચામાચીડિયાને રોકી શકે અને તેનાથી છૂટકારો અપાવી શકે. જેથી પરિવારના ડરેલા લોકોને રાહત મળે. જાે તમારી પાસે કોઈ નવી તરકીબ છે, જેનો અમે ઉપયોગ ના કર્યો હોય, તો ચોક્કસપણે જણાવો. અમિતાભ બચ્ચને પોતાના ફેન્સને જણાવ્યું કે, અમે ધુમાડો કર્યો, સેનિટાઈઝર છાંટ્યુ, ઈલેક્ટ્રોનિક રિપેલન્ટ ગેજેટ અને Eucalyptus તેલનો પણ ઉપયોગ કર્યો, પરંતુ સમસ્યા હજી પણ છે.
લોકો આ બ્લોગ વાંચીને અમિતાભ બચ્ચનને ચામાચીડિયાને ભગાડવાના ઉપાયો જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે અમિતાભ બચ્ચને એક વાર ટિ્વટ કરીને જણાવ્યુ હતું કે, એક ચામાચીડિયું મારા ઓરડામાં આવી ગયું છે. જલસાનો ત્રીજાે માળ, જ્યાં અમે બેસીને વાતો કરીએ છીએ. વર્ક ફ્રંટની વાત કરીએ તો, અમિતાભ બચ્ચન અત્યારે કોન બનેગા કરોડપતિની ૧૩મી સીઝન હોસ્ટ કરી રહ્યા છે. અમિતાભ સાથે ફિલ્મો માટે પણ કામ કરી રહ્યા છે.SSS