બિહારના લખીસરાયમાં અકસ્માત થતાં ઘટનાસ્થળે ૬ લોકોનાં મોત
પટણા, બિહારના લખીસરાયમાં માર્ગ અકસ્માત થયો છે.સિકંદરાને અડીને આવેલા હલસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં, ટ્રક અને સુમો વિક્ટા વચ્ચેની અથડામણમાં છ લોકોના મોત થયા છે અને ચાર ગંભીર રીતે ઘાયલ થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માત સિકંદરા-શેખપુર મુખ્ય માર્ગ પર સ્થિત પિપરા ગામ પાસે થયો હતો. મૃત્યુ પામેલા લોકોમાં ૫ લોકો જમુઈના ખૈરા બ્લોકના નૌદીહાના હોવાનું કહેવાય છે, જ્યારે એક ચૌહાણ જી વિસ્તારનો હતો. તમામ લોકો અંતિમ સંસ્કાર માટે જમુઈ ખૈરાથી પટના ગયા હતા. પરત ફરતી વખતે આ અકસ્માત થયો હતો.
ટ્રક અને સુમો વિક્ટા વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. ટક્કર એટલી જાેરદાર હતી કે છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ગંભીર રીતે ઘવાયેલા ચાર લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. પોલીસે ઘાયલોને હોસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા કરી હતી અને હવે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકો અને ઘાયલોના પરિવારજનોને જાણ કરવામાં આવી છે.HS