બે દિવસીય ભારતના પ્રવાસે આવશે જાપાનના પ્રધાનમંત્રી
નવી દિલ્હી, જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદા બે દિવસીય ભારતના પ્રવાસ પર આવશે. તેઓ ૧૯ અને ૨૦ માર્ચે દિલ્હીમાં હશે. અહીં તે ભારત-જાપાન સમિટમાં ભાગ લેશે. ભારતીય વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યુ કે, ભારત-જાપાન શિખર સંમેલન ૧૯ માર્ચે થશે. પ્રધાનમંત્રી મોદીના નિમંત્રણ પર જાપાનના પીએમ ફુમિયો કિશિદા ૧૪માં ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલન માટે ૧૯-૨૦ માર્ચે નવી દિલ્હીની સત્તાવાર યાત્રા કરશે. આ બંને નેતાઓની પ્રથમ મુલાકાત હશે.
અરિંદમ બાગચીએ આગળ કહ્યુ કે ભારત-જાપાન વચ્ચે વિશેષ વ્યૂહાત્મક, વૈશ્વિક ભાગીદારીના વર્તુળમાં બહુપરીમાણીય સહયોગ છે. શિખર સંમેલન વિવિધ ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરવા અને મજબૂત કરવાની સાથે-સાથે પારસ્પરિક હિતના ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દા પર વિચારોનું આદાન-પ્રદાન કરવાનો અવસર પ્રદાન કરે છે. જાપાનના પીએમ બાદ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન ભારત આવશે.
તેઓ ભારત-ઓસ્ટ્રેલિયા શિખર સંમેલનમાં સામેલ થશે. અરિંદમ બાગચીએ કહ્યુ કે પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન ૨૧ માર્ચે બીજુ ભારત-ઓસ્ટ્રેલિયા વર્ચ્યુઅલ શિખર સંમેલન કરશે. બંને દેશો વચ્ચે પ્રથમ શિખર સંમેલન ૪ જૂન ૨૦૨૦ના થયું હતું. આ વર્ચ્યુઅલી હતું.SSS