Western Times News

Gujarati News

ભગવાન પ્રત્યેની અપાર શ્રદ્ધામાં લોકો ભૂલી રહ્યા છે કોરોના, ઉજવી રહ્યા છે દશામાનો તહેવાર

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા રિવરફ્રન્ટના ભાગમાં હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા

અમદાવાદ,  રવિવારથી ગુજરાતભરમાં દશામાતાના વ્રતની શરૂઆત થઈ છે. પરંતુ તહેવારની ઉજવણીમાં લોકો કોરોનાને ભૂલી ગયા છે તેવુ લાગે છે. સવારથી જ દશામા વ્રતની શરૂઆત થતા જ ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા રિવરફ્રન્ટના ભાગમાં હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા છે.

ભગવાન પ્રત્યેની અપાર શ્રદ્ધામાં લોકો ભૂલી રહ્યા છે કે કોરોના મહામારી હજી સુધી ગઈ નથી. તેમજ ત્રીજી લહેર સાવ નજર સામે છે.

શ્રદ્ધા અને લાગણી મુજબ દશામાં વ્રત નિમિતે અમદાવાદની સાબરમતી નદીમાં નાહવા અને પૂજા કરવા લોકોનું ઘોડાપૂર જાેવા મળ્યુ છે. આ ઉજવણીમાં અનેક લોકો માસ્ક વગર મહાલતા જાેવા મળ્યા. યુવાનો, મહિલાઓ અને બાળકો નિશ્ચિન્ત બની ટોળામાં પહોંચ્યા છે.

કોરોનાની ત્રીજી લહેરથી બચવા તજજ્ઞો અને સરકાર આજ પ્રકારની ભીડ એકઠી ના થાય તેને લઈ સતત અપીલ કરી રહ્યા છે. પરંતુ સરકાર અને તજજ્ઞોની અપીલની ઐસી કઈ તૈસી કરી શ્રદ્ધાના નામે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ વગર હજારો લોકો એકત્ર થયા છે.

તો અમદાવાદમાં દશામાના તહેવાર મુજબ મોટી સંખ્યામાં લોકો ભેગા થતા પોલીસ દ્વારા લોકોને વિખેરવાનો પ્રયાસ કરાયો હતો. કેન્ટોનમેન્ટ રોડ પર મોટી સંખ્યામાં રીક્ષા અને ટુ વહીલરની લાઈનો લાગી છે. સ્થાનિક અને ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે.

પરંતુ આવામાં સ્વંય શિસ્ત જાળવવું જરૂરી છે. ત્યારે આ દ્રશ્યો ત્રીજી લહેરને આમંત્રણ આપી શકે છે. અમદાવાદમાં મોટી સંખ્યામાં શહેરીજનો રિવરફ્રન્ટ ખાતે ઉમટ્યા હતા.

સંભવિત કોરોનાની દહેશતને જાેતા અમદાવાદીઓ નિશ્ચિત જાેવા મળ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટ પર પૂજા અને સ્નાન કરવા લોકોની ભીડ ઉમટી છે. આ પ્રકારની બેદરકારી ત્રીજી સંભવિત લહેરને આમંત્રણ આપી શકે છે. સરકાર દ્વારા સતત કોરોના મામલે કરાતી અપીલના લીરેલીરા ઉડ્યા છે. આ પ્રકારના દ્રશ્યો ભવિષ્ય માટે ચિંતાનો વિષય બની શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.