Western Times News

Gujarati News

ભદ્રકાળી માતાના મંદિરે આજે પહેલા નોરતે ભક્તો ઉમટ્યા

(તસવીરોઃ જયેશ મોદી) અમદાવાદ: કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખતા આ વર્ષે પણ ગુજરાતમાં નવરાત્રી દરમિયાન પાર્ટી પ્લોટ કે  જાહેરમાં ગરબા યોજી શકાશે નહીં. અમદાવાદના સુપ્રસિધ્ધ ભદ્રકાળી માતાના મંદિરે આજે પહેલા નોરતે લોકો પૂજા અર્ચના કરવા માટે મંદિરો ખૂલતાં જ પહોંચ્યા હતા.

પૂજા અને આરતીના કાર્યક્રમ દરમિયાન ૨૦૦ કરતા વધુ લોકો એકત્રિત થઈ શકશે નહીં. તારીખ ૭ ઓક્ટોબર, ગુરૂવારના રોજ નવરાત્રીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે ત્યારે સોસાયટી-ફ્લેટમાં આરતી કરી શકાશે.

સોસાયટી અને ફ્લેટના પ્લોટની ક્ષમતા પ્રમાણે માણસો ભેગા કરી શકાશે.  સોસાયટી અને ફ્લેટમાં પૂજા અને આરતીના કાર્યક્રમ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને માસ્ક પહેરવા સહિત કોરોનાની અન્ય ગાઈડલાઈન્સનું લોકોએ પાલન કરવાનું રહેશે.

ભદ્ર પ્લાઝામાં તકેદારીના ભાગરૂપે કોર્પોરેશન દ્વારા ફોગીંગ કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.