ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્માની જનરલ સભા નિલકંઠ મહાદેવ (પરોસડા) ખાતે યોજાઇ
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, આજ રોજ ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્માની વાર્ષિક સાધારણ સભા મું.પરોસડા -નીલકંઠ મહાદેવ મંદિર ,તાઃ વિજયનગર ખાતે ૬.૩૦ કલાકે યોજાઇ હતી .આ મીટીંગમાં ૭૦ જેટલા સદસ્યો હાજર રહ્યા હતા.
આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ તરીકે બાબુભાઈ પટેલ -રાષ્ટ્રીય મંત્રી, ભારતીય કિસાન સંઘ; નિતકેશભાઇ સંકેસરા – પ્રભારી, અરવલ્લી, સાબરકાંઠા અને ગાંધીનગર -ભારત વિકાસ પરિષદ મધ્ય પ્રાંત; કનુભાઈ પંચાલ -અગ્રણી વેપારી -વિજયનગરઃ વિક્રમભાઈ વાઘેલા -ખેડબ્રહ્મા તાલુકા કાર્યવાહક; શ્રી કનુભાઈ મહારાજ -સંતશ્રી નીલકંઠ મહાદેવ મંદિરની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
કાર્યક્રમની શરૂઆત બાબુભાઇ પટેલ સંત કનુભાઈ અને મહેમાનશ્રીઓ થકી દિપ પ્રાગટ્ય અને વંદેમાતરમ ગાનથી થઈ હતી. ત્યારબાદ ભારત વિકાસ પરિષદના પ્રમુખ પ્રાધ્યાપક ડૉ રોહિત દેસાઈ ઉપસ્થિત સૌ મહેમાનો પરીચય આપી એમને આવકાર્યા હતા તથા ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્માની વાર્ષિક પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કર્યો હતો.
એ પછી અતિથિ વિશેષ કનુભાઈ પંચાલ ભારત વિકાસ પરિષદ ની પ્રવૃત્તિઓને બિરદાવી વિજયનગરમાં પણ ભારત વિકાસ પરિષદની શાખા શરૂ થાય એ માટે અનુરોધ કરી તૈયારી બતાવી હતી, ત્યારબાદ નીકેશભાઈ સંકેસરાએ ભારત વિકાસ પરિષદનો આછેરો પરિચય આપી નવીન કારોબારીની જાહેરાત કરી હતી.
એ પછી કનુભાઈ મહારાજે કાર્યક્રમ સંદર્ભે આશીર્વચન આપ્યા હતા. છેલ્લે સમારોહના મુખ્ય મહેમાન પદે બાબુભાઇ પટેલે ભારત વિકાસ પરિષદની સેવાકીય અને રાષ્ટ્રીય ચેતના જગાવતી પ્રવૃત્તિઓને બિરદાવી આ પ્રવૃત્તિઓનો વિસ્તાર કરવા ઉપર ભાર મૂક્યો હતો. કાર્યક્રમના અંતમાં આભાર દર્શન વિજયસિંહ રાજપૂત-ખજાનચી ભારત વિકાસ પરિષદે કર્યું હતું .
જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી સુરેશભાઈ વી .પટેલ મંત્રી,ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્માએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ માલજીભાઈ દેસાઈ પરોસડાના આર્થિક સહયોગથી શક્ય બન્યો હતો. કાર્યક્રમના સફળ આયોજનમાં રાજુભાઇ સિંધી, હસમુખભાઈ પંચાલ , હાર્દિકભાઈ સગર, હરેશભાઈ રામી, ભરતભાઈ પટેલ ,ડો. પરેશ મહેતા તથા અન્ય સદસ્યોનો સક્રિય સહયોગ રહ્યો હતો.