વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે પર જમીન સંપાદન: નવસારી જિલ્લાના મહેસૂલ ખાતામાં અનેક કૌંભાડ સામે આવ્યા;
મંત્રીએ ઉચ્ચ અધિકારીઓને સંડોવતા કૌભાંડ ઝડપાયા-આ અંગેની જાણ જરૂરી સૂચના નવસારીના કલેક્ટરને પણ આપવામાં આવી
તેના માટે પાવર ઓફ અટર્ની, બનાવટી કન્સાઈન્ટ લેટર, બનાવટી ડોક્યુમેન્ટ તે બધા સાઉથ આફ્રિકાથી મંગાવવામાં આવે અને સંપાદનના પૈસા જેની સાચી માલિકી છે અને બદલે આ લોકો લઈ જાય છે.
નવસારી, નવસારી જિલ્લાના મહેસૂલ ખાતામાં અનેક કૌંભાડ સામે આવ્યા છે. આ અંગે ખુદ મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી. તેમણે મીડિયાને જણાવ્યા અનુસાર મહેસૂલ વિભાગમાં એક જ વર્ષમાં છેતરપિંડીના ૧૨ જેટલા કિસ્સાઓ સામે આવ્યા છે અને કૌભાંડો અંગે ફરિયાદ પણ નોંધાઈ છે.
નવા બજેટમાં નવી વ્યવસ્થા ઉભી કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. એટલું જ નહીં, મહેસૂલ વિભાગમાં થઈ રહેલી ગેરરીતિ મામલે સરકારે મોટો ર્નિણય લીધો છે. આ અંગે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, ગેરરીતિ મામલે SITની રચના કરવામાં આવશે. જેમાં મહેસૂલ વિભાગ અને પોલીસ વિભાગના અધિકારીઓ હશે.
રાજેન્દ્ર ત્રિવેદીએ વધુમાં જણાવ્યું કે, વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે માટે જમીન સંપાદનમાં ગેરરીતિ થઈ છે. જેમાં મહેસૂલ ખાતાના અધિકારીઓએ જમીન સંપાદનમાં કરોડોના વહીવટ કરીને ભ્રષ્ટાચાર કર્યો છે. જમીન સંપાદનમાં બનાવટી ડોક્યુમેન્ટ, બનાવટી પાવર ઓફ એટર્નીથી અધિકારીઓએ ૧૨ કરોડ પડાવ્યા હોવાનું સામે આવ્યું છે.
તેમણે કહ્યું કે, આમ તો કૌભાંડ ઉજાગર કરવાનું કામ વિપક્ષે કરવું જાેઈએ પરંતુ હું જ આ કામ કરી રહ્યો છું. મહેસૂલ મંત્રીએ મીડિયા સમક્ષ જણાવ્યું કે, અમે લગભગ એવા ૧૨ કિસ્સા શોધ્યા છે, જેમાં પહેલા કિસ્સાની અંદર લગભગ દોઢ કરોડ રૂપિયાનો ર્ભ્ષ્ટાચાર થયો છે.
તેના માટે પાવર ઓફ અટર્ની, બનાવટી કન્સાઈન્ટ લેટર, બનાવટી ડોક્યુમેન્ટ તે બધા સાઉથ આફ્રિકાથી મંગાવવામાં આવે અને સંપાદનના પૈસા જેની સાચી માલિકી છે અને બદલે આ લોકો લઈ જાય છે.
આમાં જે કોઈ મદદગારો છે એ તમામની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. એમાં અમારા વિભાગના અધિકારીઓ પણ સંડોવાયેલા લાગે છે. કારણે કે, ફરિયાદીઓએ એમની સામે પણ આક્ષેપ કર્યો છે. મહેસૂલ પ્રધાનના જણાવ્યા અનુસાર જાે આવો એક કિસ્સો હોય તેમાં ભૂલ થઈ હોય તેવું કહી શકાય છે, બે કિસ્સા હોય તો બેદરકારી હોઈ શકે.
પરંતુ ૩ કે તેથી વધુ કિસ્સા હોય તેનો અર્થ કઈક ગોલમાલ છે તેવું મારું માનવું છે. પહેલા કિસ્સાની વાત કરીએ તો નવસારીના દિપક ઠાકોરભાઈ પટેલ રહે. ચીખલી, નવસારી, એમાં સર્વે નંબર ૬૬૩ વાળી જમીન વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે પર સંપાદન થાય તેમાં વળતરની રકમ ઉચાપત કરાયેલી હોવાની નવસારીમાં ફરિયાદ નોંધાઈ છે.
આ ગંભીર બાબત પર સ્થાનિક ભાજપના કાર્યકરોએ ધ્યાન દોરતા અમે તપાસ કરાવી હતી, જેમાં અમે એમની પાસેથી કાગળો મેળવ્યા. આજે આ ફરિયાદ પછી અલગ-અલગ સર્વે નંબરની કુલ ૧૨ ફરિયાદો સામે આવી છે, જેમાં વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વેના અંતર્ગત જમીન સંપાદનના વળતરની રકમની ઉચાપત થઈ છે.
આ અંગેની જાણ જરૂરી સૂચના નવસારીના કલેક્ટરને પણ આપવામાં આવી છે. સીઆર પાટીલે પણ આ અંગે સ્પષ્ટ ચર્ચા કરીને કહ્યું છે કે, આમાં કોઈપણ પાર્ટીનો વ્યક્તિ સંડોવાયેલો હોય અને છોડવાનો નથી. મહેસૂલ વિભાગમાં થઈ રહેલી ગેરરીતિ મામલે સરકારે મોટો ર્નિણય લીધો છે.
આ અંગે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, ગેરરીતિ મામલે SITની રચના કરવામાં આવશે. જેમાં મહેસૂલ વિભાગ અને પોલીસ વિભાગના અધિકારીઓ હશે. નવસારી જિલ્લાના મહેસૂલ વિભાગમાં જે કૌભાંડો સામ આવ્યા છે તે અંગે સરકાર દ્વારા એક મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. SSS