મંદિરમાંથી સાત કિલો ચાંદીના છત્તરની ચોરી
બનાસકાંઠા: જિલ્લાના વાવા તાલુકાના રાછેણા ગામની સીમમાં આવેલ શિડિયા ગોગા મહારાજના મંદિરમાં અજાણ્યા લોકો હાથફેરો કરી જતાં લોકોમાં રોષ જાેવા મળી રહ્યો છે. તસ્કરોએ ગોગા મહારાજના મંદિરને નિશાન બનાવી તાળું તોડી મંદિરમાંથી આશરે છથી સાત કિલો ચાંદીના છતર સહિતના મુદામાલની ચોરી કરી ગયા હતા. સાજે મંદિરના પૂજારી ભૂરાજી મહારાજ પૂજા કરવા આવતાં તાળું તૂટેલું જાેયું હતું. જે બાદમાં ગામના લોકો અને પોલીસને જાણ કરવામાં આવી હતી.