મકાન માલિક-ભાડૂઆતના વિવાદોના ઝડપી નિરાકરણની સુપ્રીમની તાકીદ

આવા કેસોના નિર્ણયમાં વિલંબથી બંને પક્ષકારોને નુકસાન થાય છે
ન્યાયાધીશ સંજય કરોલ અને મનોજ મિશ્રાની બનેલી બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને ત્યાં આવા પેન્ડિંગ કેસોની તપાસ કરવા અનુરોધ કર્યાે હતો
નવી દિલ્હી,
મકાનમાલિક-ભાડૂઆત વચ્ચેના વિવાદોના ઝડપી નિરાકરણનો આગ્રહ કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આવા કેસોના નિર્ણયમાં વિલંબ ચિંતાજનક છે, કારણ કે તેનાથી બંને પક્ષકારોને નુકસાન થયું હોય છે. મકાન માલિકે તેની પ્રોપર્ટી અને નાણાકીય લાભો એમ બંનેથી વંચિત રહેવું પડે છે. મુંબઈમાં હરચંદ્રાય હાઉસ અને હિન્દુસ્તાન ઓર્ગેનિક કેમિકલ્સ વચ્ચેના વિવાદની સુનાવણી કરતાં સર્વાેચ્ચ અદાલતે આ અવલોકન કર્યાં હતાં. ન્યાયાધીશ સંજય કરોલ અને મનોજ મિશ્રાની બનેલી બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને ત્યાં આવા પેન્ડિંગ કેસોની તપાસ કરવા અનુરોધ કર્યાે હતો.
સુપ્રીમ કોર્ટ ચોરસફુટ દીઠ રેટ સંબંધિત હાઇકોર્ટના આદેશ સામેની અપીલની સુનાવણી કરી હતી. આ વિવાદમાં મુંબઈમાં હરચંદ્રાય હાઉસના ભાડૂઆત તરીકે હિન્દુસ્તાન ઓર્ગેનિક કેમિકલ્સના કબજાના સંદર્ભમાં પ્રતિ ચોરસ ફૂટ રેટને આધારે મેસ્ને પ્રોફિટની ગણતરી કરાઈ હતી. મેસ્ને નફો એ એવી રકમ છે જે મિલકતના માલિકને તેની પ્રોપર્ટીના ગેરકાયદે કબજા માટે ચુકવવી પડે છે. ખંડપીઠે જણાવ્યું હતું કે કેટલાક કેસોમાં અરજદારોને ન્યાયિક મંચ દ્વારા તેમના વિવાદોના ઉકેલ માટે વર્ષાે સુધી રાહ જોવી પડે છે.મકાનમાલિક-ભાડૂઆતના વિવાદોની વાત આવે છે, ત્યારે માલિકે તેની પ્રોપર્ટી અને નાણાકીય લાભોથી પણ વંચિત રહેવું પડે છે.
કાયદો અને ન્યાયની અદાલતો તરીકે કોર્ટાેએ આ ખાતરી કરવા માટે બંધાયેલી છે કે કોઈપણ પક્ષને નુકસાન ન જાય.સર્વાેચ્ચ અદાલતે જણાવ્યું હતું કે આવા વિવાદોમાં વિલંબિત નિર્ણયથી બંને પક્ષોએ ભોગવવું પડે છે. ઘણા કિસ્સાઓમાં મકાનમાલિકને મિલકત ન મળવાને કારણે અને અન્ય કિસ્સાઓમાં તેમાંથી નાણાકીય બાકી રકમ ન મળવાને કારણે નુકસાન થાય છે. ઘણા કિસ્સામાં ભાડૂઆતને ટૂંકા ગાળામાં મોટી રકમ ચૂકવવાનો આદેશ આપવામાં આવે છે ત્યારે તેને પણ નુકસાન થાય છે. ભાડૂતો દ્વારા આટલી મોટી રકમની ચૂકવી માટે જરૂરી વ્યવસ્થા કરવાનું મુશ્કેલ હોય છે.