મધ્યપ્રદેશના છિંદવાડામાં રોડ અકસ્માતમાં ૬ લોકોના મોત

Files Photo
છિંદવાડા, જિલ્લાના બેતુલ રીંગ રોડ પાસે એક દર્દનાક માર્ગ અકસ્માતમાં ૬ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે ૨ લોકની હાલત ગંભીર છે. આ તમામ ૮ લોકો કારમાં નાગપુરથી ઉમરેઠ જઈ રહ્યા હતા, ત્યારે ટ્રકે પાછળથી કારને ટક્કર મારી હતી, જેમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે બે લોકોની હાલત નાજુક છે. ડીએસપી સુદેશ સિંહે આ અંગે માહિતી આપી છે.
કારમાં ૮ લોકો સવાર હતા,છિંદવાડા-બેતુલ રોડ પર રીંગ રોડ પાસે પાછળથી એક આયશર ટ્રકે કારને ટક્કર મારી હતી, જેમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એકનું જિલ્લા હોસ્પિટલમાં મોત થયું હતું, તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત ૨ લોકોની સારવાર ચાલી રહી છે.
ટ્રાફિકના ડીએસપી સુદેશ સિંહે જણાવ્યું કે, આ તમામ લોકો નાગપુરથી ઉમરેઠ સ્વિફ્ટ કારમાં જઈ રહ્યા હતા, જેમાં ૫ બાળકો અને એક મહિલા સહિત ૮ લોકો સવાર હતા.૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી તમામને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યા તબીબે ૬ લોકોને મૃત જાહેર કર્યા હતા, જ્યારે બે લોકોની સારવાર ચાલી રહી છે. ડીએસપીએ કહ્યું કે, અકસ્માત એટલો ભયાનક હતો કે વાહન પાછળથી સંપૂર્ણપણે દબાઇ ગયું હતું.HS