મનમોહન સિંહના સમયમાં ૨૨ વખત મોંઘવારી દર ૧૦ ટકાથી વધુ હતો
નવીદિલ્હી, નાણામંત્રી ર્નિમલા સીતારમણે મોદી સરકારની આર્થિક સ્થિતિ પર પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ડૉ. મનમોહન સિંહની સરકારમાં દેશની આર્થિક સ્થિતિ એક રીતે પોલિસી પેરાલિસીસ બની ગઈ હતી. યુપીએ કૌભાંડોની સરકાર હતી. તેમની સરકારમાં ભ્રષ્ટાચાર થતો રહ્યો અને તેઓ ચૂપચાપ જાેઈ રહ્યા.
નાણામંત્રીએ કહ્યું કે મનમોહન સિંહના સમયમાં ૨૨ વખત મોંઘવારી દર ૧૦ ટકાથી વધુ હતો. મનમોહન સિંહ ભારતને નાજુક ૫માં લાવવા માટે જવાબદાર છે.
નાણામંત્રીએ આરોપ લગાવ્યો કે ડૉ.સિંઘનું નિવેદન પંજાબની ચૂંટણીને ધ્યાનમાં રાખીને છે, તેને વાસ્તવિકતા સાથે કોઈ લેવાદેવા નથી.નાણામંત્રીએ નેશનલ સ્ટોક એક્સચેન્જમાં યોગીની કથિત સંડોવણી અને તેના દ્વારા એનએસઇના સંચાલન પર પણ સવાલ ઉઠાવ્યા હતા. નાણામંત્રીએ કહ્યું કે ત્યારે મનમોહન સિંહ મૌન કેમ રહ્યા ડેટા બનાવવા માટે ઓક્સફેમના માપદંડ ખોટા છે. નાણાપ્રધાને ઘોષણા કરી કે કોંગ્રેસ આવા ખામીયુક્ત ડેટાને તેનો આધાર બનાવી રહી છે.HS