મહારાષ્ટ્ર અને છત્તીસગઢની બે સ્કૂલોમાં 32 વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત

મુંબઈ, કોરોનાના વધી રહેલા જોખમ વચ્ચે શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ સંક્રમિત થઈ રહ્યા છે. મહારાષ્ટ્રના અહેમદનગર ખાતે આવેલા જવાહર નવોદય વિદ્યાલયમાં 19 વિદ્યાર્થીઓને કોરોના થયો છે.સ્કૂલમાં 450 વિદ્યાર્થીઓ ભણે છે અને હોસ્ટેલમાં રહે છે.
તમામના સેમ્પલ કોરોનાની તપાસ માટે મોકલવામાં આવ્યા હતા અને તેમાંથી 19 પોઝિટિવ આવ્યા છે.બીજા સેમ્પલની તપાસ ચાલી રહી છે.મોટાભાગના સંક્રમિત વિદ્યાર્થીઓમાં કોઈ લક્ષણ દેખાયા નથી.
બીજી તરફ છત્તીસગઢના રાયગઢમાં એક જ સ્કૂલના 13 વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયા છે.અહીંના 13 વિદ્યાર્થીઓનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.આ સ્કૂલની હોસ્ટેલમાં 200 વિદ્યાર્થીઓ રહે છે અને તકેદારીના ભાગરુપે હોસ્ટેલને કન્ટેમેન્ટ ઝોન જાહેર કરાયો છે.વિદ્યાર્થીઓ અને તેમના સંપર્કમાં આવેલા બીજા લોકોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.