મારી મહેનતથી ભારતીય ટીમમાં હતો : સુરેશ રૈના
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/Suresh-Raina6.jpg)
રૈનાએ તેના પુસ્તક બિલિવમાં ખુલાસો કર્યો કે, તેને કેરિયર દરમિયાન ધોનીની મિત્રતાને લીધે ટીમમાં હોવાનું કહેવાતું
નવી દિલ્હી: લેફ્ટ હેન્ડ બેટ્સમેન સુરેશ રૈનાએ તેની ઝડપી બેટિંગથી ટીમ ઈન્ડિયા માટે ઘણી મેચ જીતી હતી. રૈના મિડલ ઓર્ડરમાં આવીને મુશ્કેલ પરિસ્થિતિઓમાં રન બનાવીને ટીમને જીત આપાવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. વનડે અને ટી -૨૦ ક્રિકેટમાં તેની ક્ષમતાને લોખંડ માનવામાં આવતી હતી, પરંતુ આ હોવા છતાં, તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન, તેમને આવી કેટલીક વાતો સાંભળવા મળી, જેને કોઈ પણ વ્યક્તિ નકારી શકે નહિં. રૈનાએ આ વાતનો ખુલાસો પોતાની પુસ્તક બિલિવમાં કર્યો છે. સુરેશ રૈનાએ પુસ્તકમાં લખ્યું છે
તેને કહેવામાં આવ્યું હતું કે તેઓ ધોની (એમએસ ધોની) સાથેની મિત્રતાને કારણે ટીમ ઈન્ડિયામાં છે. પોતાની પુસ્તકમાં ધોનીની પ્રશંસા કરતા રૈનાએ લખ્યું, ધોની જાણે છે કે, મારી પાસેથી શ્રેષ્ઠ પ્રદર્શન કેવી રીતે મેળવવું તે અંગે મેં તેના પર વિશ્વાસ મૂક્યો. જ્યારે લોકો મારી મિત્રતાને મારી ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવા સાથે જાેડે છે ત્યારે તે ખૂબ દુઃખ પહોંચાડે છે. મેં હંમેશાં ટીમ ઈન્ડિયામાં મારું સ્થાન મેળવ્યું છે,
તેવી જ રીતે મેં ધોનીનો વિશ્વાસ અને સન્માન મેળવ્યું છે. મહત્વનું છે કે, ધોની અને સુરેશ રૈનાની મિત્રતા ઘણી જૂની છે. ધોની અને રૈના લગભગ એક સાથે ટીમ ઇન્ડિયા આવ્યા. ધોનીએ ૨૦૦૪ અને રૈના ૨૦૦૫માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. આ પછી આ બંને ખેલાડીઓએ ટીમ ઈન્ડિયા માટે ઘણી મેચ જીતી હતી. આ બંનેની મિત્રતા એવી હતી કે, ધોની અને રૈના બંને સાથે નિવૃત્ત થયા. ધોનીએ ૧૫ ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું અને રૈના પણ ધોનીનીનિવૃત્તિ પછી તરત જ નિવૃત્ત થઈ ગયો હતો.
રૈનાએ ભારત તરફથી ૨૨૬ વનડેમાં ૩૫.૩૧ની એવરેજથી ૫૬૧૫ રન બનાવ્યા હતા. તેણે ૫ સદી અને ૩૬ અડધી સદી ફટકારી છે. ટી ૨૦માં રૈનાએ ૬૬ ઇનિંગ્સમાં ૨૯.૧૮ની એવરેજથી ૧૬૦૫ રન બનાવ્યા હતા. રૈનાના નામ પર ટી ૨૦ સદી પણ છે. રૈનાએ ૧૮ ટેસ્ટ મેચ પણ રમી હતી જેમાં તેણે એક સદીની મદદથી ૭૬૮ રન બનાવ્યા હતા.