Western Times News

Gujarati News

મારી મા મને પરણેલો જોવા આતુર છેઃ કુશલ ટંડન

કૌશલ અને શિવાંગીની જોડીને ટીવી પર દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે, ત્યારથી આ જોડીને તેમના ફૅન્સ કુશિવ કહીને બોલાવે છે

ટીવી સ્ટાર કુશલ ટંડન અને શિવાંગી જોશીએ રિલેશનશિપ સ્વીકારી

મુંબઈ,ઘણા લાંબા સમયથી ટીવી અને રિયાલિટી શોના જાણીતા ચહેરા એવા કુશલ ટંડન અને ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ સિરીયલ સહીત ઘણી સિરીયલની જાણીતી એક્ટ્રેસ શિવાંગી જોશીની રિલેશનશિપ અંગે ચર્ચાઓ ચાલતી હતી. ત્યારે હવે આખરે કુશલે આ રિલેશનશિપનો સ્વીકાર કર્યાે છે અને કબૂલ્યું છે કે તેઓ ધીરે ધીરે આગળ વધવા માગે છે.કુશલ અને શિવાંગી ‘બરસાતેં –મૌસમ પ્યાર કા’ સીરિયલમાં સાથે કામ કરતાં હતાં. ઘણાં વખતથી તેઓ સાથે હોવાની ચર્ચા ચાલતી હતી પરંતુ બંને આ અંગે મૌન રહેતાં હતાં.

તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં કુશલ ટંડને કબૂલાત કરી છે. કુશલને ઇન્ટરવ્યૂમાં તેના મેરેજ પ્લાન અંગે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે કહ્યું,“હું હમણા મેરેજ કરવાનો નથી, પરંતુ હા, હું પ્રેમમાં છું. અમે ધીરે ધીરે આગળ વધી રહ્યાં છીએ. મારી મા મને પરણેલો જેવો આતુર છે, એનું ચાલે તો મારા લગ્ન આજે જ કરાવી દે.”પોતાના લગ્નના પ્લાન વિશે વધુ વાત કરતા કુશલે જણાવ્યું કે ગમે તે ગમે ત્યારે થઈ શકે છે. તેણે એ પણ સ્વીકાર્યું કે તેના પૅરેન્ટ્‌સ દ્વારા ઘણી શોધખોળ પછી આખરે તેને તેનો પ્રેમ મળી ગયો છે.

તેથી તેમણે હવે શોધ-ખોળ બંધ કરી દીધી છે.કૌશલ અને શિવાંગીની જોડીને ટીવી પર દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે. ત્યારથી આ જોડીને તેમના ફૅન્સ કુશિવ કહીને બોલાવે છે. તેમના ઓફસ્ક્રીન બોન્ડને પણ ફૅન્સ બહુ વખાણે છે. કુશલે ઇન્ટરવ્યૂમાં એમ પણ કહ્યું કે તેના પૅરેન્ટ્‌સ હવે લખનૌથી મુંબઈ તેની સાથે રહેવા આવી ગયા છે. કારણ કે તેનું બાળપણ તો લખનૌમાં વિત્યું પરંતુ તે આગળના અભ્યાસ માટે યૂએસ જતો રહ્યો હોવાથી પાછળથી પૅરેન્ટ્‌સ સાથે સમય વિતાવી શક્યો નહોતો. તેથી હવે પૅરેન્ટ્‌સ સાથે વધુ સમય વિતાવી શકે તે માટે તે મુંબઈમાં મોટું ઘર પણ ખરીદી રહ્યો છે. સાથે જ તેની પાસે હાલ ટીવી અને ઓટીટી બંનેની ઓફર હોવાની પણ તેણે વાત કરી હતી.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.