Western Times News

Gujarati News

મુખ્યમંત્રીએ આચાર્ય ભગવંત યોગતિલક સૂરીશ્વરજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દીક્ષાર્થીઓની વર્ષીદાન યાત્રામાં ઉપસ્થિત રહ્યા

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે અમદાવાદના ઉસ્માનપુરા ખાતેના ગુલાબ શાંતિ સ્વાધ્યાય પરિવારના પટાંગણમાં આયોજિત દીક્ષાર્થી વર્ષીદાન યાત્રામાં સહભાગી થયા હતા.

આ વર્ષમાં યાત્રામાં સહભાગી થવા માટે જ્યારે મુખ્યમંત્રીશ્રી પધાર્યા ત્યારે જૈન આરાધકોએ ‘જૈનમ જયતિ શાસન’ના જયઘોષ સાથે તેમનું અભિવાદન કર્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ આચાર્ય ભગવંત યોગતિલક સૂરીશ્વરજીના આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા હતા. આ અવસરે જૈન મુનિગણ અને વિશાળ સંખ્યામાં જૈન આરાધકો  ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.