Western Times News

Gujarati News

મુખ્યમંત્રીએ ગણેશ આરતી કરીને રાજ્યની સુખ-શાંતિ અને સલામતીની પ્રાર્થના કરી

અમદાવાદ વસ્ત્રાપુરના મહા ગણપતિ દર્શને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે અમદાવાદવસ્ત્રાપુરના મહાગણપતિની દર્શન-આરતી કરીને આશીર્વાદ મેળવ્યા હતા.

ગણેશોત્સવના છઠ્ઠા દિવસે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વિઘ્નહર્તા શ્રી ગણેશની આરતી કરી રાજ્યની સુખ-શાંતિ-સલામતી માટેની અભ્યર્થના કરી હતી. સરદાર પટેલ સેવાદળ-વસ્ત્રાપુર દ્વારા મુખ્યમંત્રીશ્રીનુ સન્માન કરવામાં આવ્યું હતું.

આ ગણેશ આરતીમાં મુખ્યમંત્રીશ્રી સાથે વેજલપુર ધારાસભ્ય શ્રી કિશોરભાઈ ચૌહાણ, બોળકદેવ વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલરશ્રીઓ, વોર્ડ પ્રમુખ શ્રી સહિત મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા.

 

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.