મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુરમાં પોતાની ઉમેદવારી નોંધાવીઃ અમિત શાહ હાજર
ગોરખપુર, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શુક્રવારે ગોરખપુરમાં પોતાની ઉમેદવારી નોંધાવી છે. પાંચ વખત સાંસદ રહી ચૂકેલા યોગી પહેલીવાર ગોરખપુર શહેરની સિટી પરથી વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પર ૩૩વર્ષોથી ભાજપનો કબજાે છે.
યોગીના નોમિનેશનમાં ખુદ ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા હતા. આ પહેલીવાર છે જ્યારે શાહ કોઈના નોમિનેશનમાં ભાગ લીધો છે. આ દ્વારા પૂર્વાંચલમાં એક મોટો રાજકીય શો બતાવવાના પ્રયાસ કરાઈ રહ્યા છે.
મહારાણા પ્રતાપ કોલેજમાં આયોજિત જનસભામાં અમિત શાહે કહ્યું, ‘યોગીના શાસનમાં માફિયા જેલમાં છે. અતીક અહેમદ, મુખ્તાર અંસારી, આઝમ ખાન જેલમાં જ રહેશે. આજે આપણે યોગીજીનું ફોર્મ ભરવા આવ્યા છે.
વિપક્ષ પાસે કોઈ મુદ્દો નથી. તેમને લાગે છે કે કોરોનાને કારણે સભાઓ મર્યાદિત થઈ ગઈ છે, લોકોની વચ્ચે જવાતું નથી. હું તેમને કહેવા માંગુ છું કે ભાઈ, તમારે જે પ્રચાર કરવો હોય તે કરો, ઉત્તર પ્રદેશની જનતા ભાજપની સાથે છે, ભાજપને ફરી ૩૦૦થી વધુ બેઠકો મળવાની છે.
ઉત્તર પ્રદેશના ઈતિહાસમાં બીજેપી ફરી એકવાર ઈતિહાસનું પુનરાવર્તન કરવા જઈ રહી છે. ૨૦૧૪, ૨૦૧૭ અને ૨૦૧૯ની ત્રણેય ચૂંટણીઓમાં ઉત્તરપ્રદેશની જનતાએ પીએમ મોદીના નેતૃત્વમાં યુપીના વિકાસનો માર્ગ તૈયાર કરીને જંગી બહુમતી આપી છે.
ઉત્તર પ્રદેશના મહાન લોકોએ અમને ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં પણ ૩૦૦થી વધુ બેઠકો સાથે બહુમતી આપી હતી. ત્યારબાદ ભાજપે યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બનાવ્યા.૨ વર્ષ સુધી યોગીજીએ અહીં સુશાસનનો પાયો નાખવાનું કામ કર્યું, તેને ધ્યાનમાં રાખીને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં તમામ વિપક્ષી દળોએ ભેગા થઈને મહાગઠબંધન કર્યું.ગોરખપુરમાં જાપાની તાવથી સેંકડો બાળકો મૃત્યુ પામતા હતા.
૨૦૧૪ની ચૂંટણીમાં મેં અહીં પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે યોગીએ યોગ્ય જવાબ આપ્યો હતો. આજે ૯૦ ટકા કેસ ઓછા થયા છે.
નરેન્દ્ર મોદી પણ ઉત્તર પ્રદેશમાંથી સાંસદ બનીને ગયા છે. તેઓ હંમેશા કહે છે કે જ્યાં સુધી ઉત્તર પ્રદેશનો વિકાસ નહીં થાય ત્યાં સુધી દેશનો વિકાસ અસંભવ છે. પીએમ મોદી હંમેશા ગરીબ, પછાત, દલિત, આદિવાસીઓના વિકાસ માટે રોકાયેલા છે.
મેં ભુવનેશ્વર કારોબારી સમિતિમાં કહ્યું હતું કે જે બાકી છે તેમણે પણ ભેગા થઈને કરવું જાેઈએ, અમે ફરી એકવાર બે તૃતીયાંશ બહુમતી સાથે સરકાર બનાવીશું.HS