મુસાફર ટ્રેન સેવાઓ રદ કરવાની મુદત લંબાવવામાં આવી

File Photo
કોવિડ-19નાં કારણે લાગુ માપદંડોનો અમલ ચાલુ રાખવામાં આવતા, ભારતીય રેલવેની તમામ મુસાફર ટ્રેનોની સેવાઓ રદ કરવાની મુદત 17 મે 2020 સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, વિવિધ સ્થળે ફસાયેલા પરપ્રાંતીય શ્રમિકો, યાત્રાળુઓ, પર્યટકો, વિદ્યાર્થીઓ અને અન્ય લોકોના પરિવહનની કામગીરી કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાના સંદર્ભમાં રાજ્ય સરકારોની જરૂરિયાત અનુસાર વિશેષ શ્રમિક ટ્રેનોમાં કરવાની રહેશે. વર્તમાન સમયમાં, માલની હેરફેર કરતી અને પાર્સલ ટ્રેનોનું પરિચાલન યથાવત રહેશે.