મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરતાં દલિત યુવકની હત્યા
૩૧ જાન્યુ.એ નાગરાજુ અને સૈયદએ લગ્ન કર્યાં હતા.
સ્કૂટર પર આવેલાં હુમલાખોર દંપત્તીને રસ્તા પર રોક્યા હતા અને નાગરાજુ પર લોખંડની પાઈપ વડે હુમલો કર્યો.
નવી દિલ્હી,
હૈદરાબાદમાં ઓનર કિલિંગની સનસનીખેજ ઘટના સામે આવી છે. મુસ્લિમ યુવતીએ પરિવારની મંજૂરી વગર જ દલિત યુવક સાથે લગ્ન કર્યાં હતા. લગ્નથી નારાજ થયેલાં યુવતીના પરિવારજનોએ સરેઆમ દલિત યુવકની કરપીણ હત્યા કરી દીધી હતી. યુવકની હત્યાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તો હવે આ મામલે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. અને યુવકની હત્યા મામલે કઠોરમાં કઠોર કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઉઠી રહી છે. બીજી બાજુ પોલીસે પણ આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
અને યુવતીના પરિવારનાં અમુક સભ્યોની અટકાયત કરી છે. ૨૫ વર્ષીય નાગરાજુ હૈદરાબાદના બિલ્લાપુરમમાં રહેતો હતો. તેણે ૨૩ વર્ષની સૈયદ સુલ્તાના નામની યુવતી સાથે ૨ મહિના પહેલાં ૩૧ જાન્યુઆરીના રોજ લગ્ન કર્યાં હતા. આ મામલે પોલીસે જણાવ્યું કે, સરુરનગરમાં થઈ હતી, જ્યારે દલિત યુવત બી.નાગરાજુ પોતાની પત્નીની સાથે મોટરસાઈકલ પર જઈ રહ્યો હતો, ત્યારે સ્કૂટર પર આવેલાં હુમલાખોર સૈયદ મોબિન અહમદ અને મોહમ્મદ અહમદે દંપત્તીને રસ્તા પર જ રોક્યા હતા અને નાગરાજુ પર લોખંડની પાઈપ વડે હુમલો કર્યો હતો અને બાદમાં ચપ્પા વડે તેના પર તૂટી પડ્યા હતા.
જેના કારણે ઘટનાસ્થળે જ નાગરાજુનું મોત નિપજ્યું હતું. પોલીસે જણાવ્યું કે, બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસે જણાવ્યું હતું કે, સૈયદ મોબિન અહેમદ પોતાની બહેનના નાગરાજુ સાથેના સંબંધોની વિરુદ્ધમાં હતો અને તેણે અગાઉ ચેતવણી પણ આપી હતી. પોલીસે કહ્યું કે, રસ્તા પર દંપતીને રોક્યા બાદ નાગરાજુને જમીન પર ધકેલી દીધો હત અને તેના વડે લોખંડની પાઈપ વડે હુમલો કરી દીધો હતો. નાગરાજુના મોતની પુષ્ટિ થયા બાદ તેઓ ભાગી ગયા હતા. પોલીસે જણાવ્યું કે, ગુરુવારે બંને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. નાગરાજુની પત્નીએ જણાવ્યું કે, તે છેલ્લા ૧૧ વર્ષથી એકબીજાને ઓળખથા હતા અને દાવો કર્યો કે, તેમના પર પાંચ લોકોએ હુમલો કર્યો હતો.
જણાવવામાં આવી રહ્યું છે, હિન્દુ અને મુસ્લિમ દંપતી સ્કૂલ અને કોલેજમાં સાથે ભણતા હતા અને બંને વચ્ચે પાંચ વર્ષથી વધારે સમય સુધી પ્રેમ સંબંધ હતો, જ્યારે તેમનો પરિવાર આ સંબંધની વિરુદ્ધમાં હતો. પોલીસે જણાવ્યું કે, મોબિન અહેમદે પહેલાં પણ પોતાની બહેનને ચેતવણી આપી હતી. બાદમાં તે નાગરાજુ સાથે લગ્ન કરવા માટે ઘર છોડીને જતી રહી હતી. બહેન ભાગી ગઈ ત્યારથી મોબિન અહેમદ ખુબ જ ગુસ્સામાં રહેતો હતો. અને તે નાગરાજુને ખતમ કરવાની યોજના બનાવી રહ્યો હતો. આ માટે તેણે પોતાના સંબંધીઓની સાથે પ્લાન બનાવ્યો હતો અને બુધવારે હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો.SSS