Western Times News

Gujarati News

મેટ્રો મેન શ્રીધરને રાજકારણમાંથી નિવૃતિની જાહેરાત કરી

નવીદિલ્હી, મેટ્રો મેન શ્રીધરન આ વર્ષે માર્ચમાં ભારતીય જનતા પાર્ટીમાં જાેડાયા હતા અને તેમણે કેરળની પલક્કડ વિધાનસભા બેઠક પરથી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી પણ લડી હતી. જાેકે તેઓ આ ચૂંટણી હારી ગયા હતા.

પરંતુ જે રીતે શ્રીધરન આશ્ચર્યજનક રીતે ભાજપમાં જાેડાયા હતા, તેવી જ રીતે તેમણે પણ ગુરુવારે અચાનક રાજકારણમાંથી સંન્યાસ લઈ લીધો હતો. મલપ્પુરમમાં નિવૃત્તિની જાહેરાત કરતાં તેમણે કહ્યું કે મેં મારી ચૂંટણીની હારમાંથી એક પાઠ શીખ્યો છે.

તેમણે કહ્યું, ‘જ્યારે હું હારી ગયો ત્યારે મને દુઃખ થયું. પરંતુ હવે મને સમજાયું છે કે જાે હું જીતી ગયો હોત તો પણ કંઈ ન થઈ શક્યું હોત. હું ક્યારેય રાજકારણી નહોતો. હું થોડા સમય માટે નોકરશાહીમાંથી રાજકારણમાં જાેડાયો. મેં રાજનીતિમાં મોડેથી પ્રવેશ કર્યો પરંતુ બહાર નીકળવામાં મોડું થયું નથી.

હું હવે ૯૦ વર્ષનો છું. હું યુવાનની જેમ દોડી શકતો નથી. હું ત્રણ અલગ-અલગ ટ્રસ્ટ સાથે સંકળાયેલો છું અને બાકીનો સમય હું તેમની સાથે વિતાવીશ. પૂછવામાં આવ્યું કે શું તેઓ કોઈ અફસોસને કારણે રાજકારણ છોડી રહ્યા છે, ઇ શ્રીધરને કહ્યું કે જ્યારે તેઓ માર્ચમાં ભાજપમાં જાેડાયા ત્યારે તેમને લાગ્યું કે કેરળમાં પાર્ટીની સારી સંભાવનાઓ છે પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.