મેરઠમાં જમીન વિવાદમાં ગોળીબાર એક વ્યક્તિનું મોત , ચાર ઘાયલ
મેરઠ: મેરઠના થાણા ફલાવાડા વિસ્તારમાં કુંડા ગામમાં જમીન પચાવી પાડતા એક વ્યક્તિની હત્યા કરાઈ હતી. બનાવની માહિતી મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ કરી હતી.
પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર યશપાલે તેની ૧૦ બીઘા જમીન મહેતાબ પુત્ર ઘનશ્યામ રહેવાસી કુંડાને લગભગ ચાર મહિના પહેલા વેચી દીધી હતી. સોમપાલ નિવાસી ગામ કુંડા લગભગ ૨૦ વર્ષથી આ જમીનનું વાવેતર કરતો હતો.
મંગળવારે રાત્રે લગભગ ૩.૩૦ વાગ્યે મહેતાબે અચાનક ખેતરમાં ટ્રેક્ટર ચલાવ્યું હતું અને જમીનનો કબજાે કરવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ માહિતી મળતાં સોમપાલ અન્ય સાથીદારો સાથે ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
બંને તરફથી આ ગોળીબારમાં સોમપાલ, મોહિત, લવ કુશ, નરેશ, સુંદર વગેરે ઘાયલ થયા હતા. સોમપાલને જાંઘમાં ગોળી વાગી હતી અને વધુ લોહી વહેવાને કારણે તેનું મોત નીપજ્યું હતું. પોલીસ માહિતીના આધારે ઘટનાસ્થળ પર પહોંચી હતી અને મૃતક સોમપાલનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો.