મોડાસાની તત્ત્વ ઈજનેરી કોલેજ ખાતે થેલેસેમિયા નિદાન તથા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો
જીટીયુ અને એન એન એસ અંતર્ગત સંસ્થા ખાતે દર વર્ષે થેલેસેમિયા નિદાન કેમ્પ યોજવામાં આવતો જ હોય છે ત્યારે આ વર્ષે પણ નવા પ્રવેશેલા ઈજનેરી ડિપ્લોમા અને ડિગ્રીના વિદ્યાર્થીઓ માં સ્વાસ્થ્ય ને લઈને જાગૃતતા આવે તે હેતુ સર ગઈ કાલે સંસ્થા ખાતે થેલેસેમિયા નિદાનની જવાબદારી મોડાસાની રામાણી બ્લડ બેન્કની ટીમ દ્વારા ઉપાડવામાં આવી હતી,
આ કેમ્પ અંતર્ગત રામાણી બ્લડ બેન્કના નવીનભાઈ રામાણી દ્વારા થેલેસેમિયા જેવા ગંભીર પણ સાવચેતી રાખી ને બચી શકાય તેવા રોગ ઉપર પોતાના આગવા અનુભવ અને સમાજને ઉપયોગી થવાના ભાવ થી વિદ્યાર્થીઓ ના માનસ પર પ્રકાશ પાડ્યો હતો અને ખુબજ ઉપયોગી થઈ શકે તેવા સેમિનારનું પણ આયોજન કર્યું હતું. આ સાથે થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને ઉપયોગી થઈ શકીએ તે હેતુ સર સંસ્થામાં રક્તદાનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પ દરમિયાન સંસ્થા ખાતે ડિગ્રી ડિપ્લોમા પ્રથમ વર્ષ અને ડીટુડી મળી કૂલ ૭૫ થેલેસિમિયા નિદાન માટે સેમ્પલ રામાણી બ્લડ બેન્કની ટિમ દ્વારા એકત્ર કરવામાં આવ્યા. જ્યારે ૧૨ યુનિટ રક્તનું દાન પણ એકત્ર કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર પ્રોફ. જે. આર. પુવાર હાજર રહી વિદ્યાર્થીઓનું મનોબળ વધારી રક્તદાન અને તેનાથી થતાં ફાયદા સમજાવી વર્ષમાં ૨ વાર અચૂક રક્તદાન કરવાની સલાહ આપી હતી. આ ઉપરાંત સંસ્થાના આચાર્ય પ્રોફ. કે. બી. શેઠ ઉપસ્થિત રહી થેલેસેમિયા અને રક્તદાનની વિસ્તૃતમાં જાણકારી આપી હતી, તેમજ ટ્રસ્ટીશ્રીઓ એ રક્તદાન કરી રહેલ વિદ્યાર્થીઓને બિરદાવી લીધા હતા.કાર્યક્રમનું સફળ સંચાલન એન. એન. એસ પ્રોગ્રામ ઓફિસર પ્રોફ. પી. વી. ચૌહાણ તથા સ્પોર્ટ્સ કો-ઓર્ડિનેટર પ્રોફ. કે. બી. સૈની અને એન. એન. એસ. સ્વયંસેવક દીપ, શિવમ અને જીગ્નેશ દ્વારા કરવામાં આવ્યું હતું.